Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં શરૂઆતની મોસમના વરસાદથી 31નાં મોત

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2017 (16:06 IST)
રાજયમાં સાર્વત્રિક વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચકક્ષાની બેઠક યોજીને સમીક્ષા કરી હતી અને જયાં વરસાદથી જમીનનું ધોવાણ થયું છે ત્યાં કૃષિ વિભાગને સર્વે કરીને નુકસાનનો અંદાજ મેળવવા સૂચના આપી હતી. તે સાથે રોગચાળો ન થાય તે માટે સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા અને દવાનું છંટકાવ કરવા પણ તંત્રને જણાવ્યું હતું.

બીજી તરફ ભારે વરસાદના પગલે રાજયના ચાર જેટલા જળાશયને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. વાવણી લાયક વરસાદ થતા ખરીફ ઋતુનું ૨૫ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે જે ગત વર્ષે ૧૩ લાખ હેકટરમાં હતું. બીજીતરફ ભારે વરસાદની આગાહીથી ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાના તંત્રને અલર્ટ પર મુકવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને સિનિયર સચિવોની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. જેમાં વરસાદના કારણે મૃત્યુ પામેલી ૩૧ વ્યક્તિ અને ૩૦૦ જેટલા પશુ મૃત્યુ થયા હોવાનું હોવાનું જણાવાયું હતું. જેમાં ૨૪ના મોત વીજળી પડવાથી થયા છે. તેમણે મૃત્યુના કિસ્સામાં સહાય ચૂકવવા અંગે જાણકારી મેળવી હતી. જુલાઇના આરંભે જ ૨૩ ટકા જેટલો વરસાદ થઇ ગયો છે અને જળાશયોમાં ૩૧ ટકા પાણી ઉપલબ્ધ થયું છે. મોરબી, પાટણના જે પરિવારોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું તે પરત ફરી રહ્યા હોવાનું અને વરસાદથી અસરગ્રસ્ત માર્ગ પણ પૂર્વવત થઇ રહ્યા હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. રાજયના ૨૦૩ પૈકી ૪ જળાશયને એલર્ટ અને હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જેમાં ભરૂચના ધોલી, જામનગરના ઉન્ડ-૨, મોરબીના મચ્છુ-૨ અને ડેમી-બેનો સમાવેશ થાય છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૧૫ મીટર ઉપર પહોંચવા સાથે કુલ ૮૦ ટકા જેટલો પાણીનો સંગ્રહ થવા પામ્યો છે અને નર્મદા સિવાયના જળાશયોમાં કુલ ૩૪ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થવા પામ્યો છે. દરમિયાન કૃષિ વિભાગના મંત્રી ચીમનભાઇ સાપરિયાએ જણાવ્યું હતું કે, સરેરાશ વાવેતર સામે ચાલુ ખરીફ સીઝનમાં ૩૦ ટકા જેટલું વાવેતર સારા વરસાદના કારણે થઇ જવા પામ્યું છે. જેમાં ધાન્ય પાકમાં ૧૬ ટકા, કઠોળમાં ૨૦ ટકા, તેલીબિયામાં ૩૪ ટકા અને અન્ય પાકમાં ૩૩ ટકાનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવા કૃષિ વીજ જોડાણ માટે કામગીરી ચાલુ છે ત્યારે કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા ખેડૂતોને લાઇનની કામગીરીમાં મદદ કરવા માટે ફરજ પાડવામાં આવે છે અને તેમની પાસેથી થાંભલા સ્થળ પર ખેંચી લાવવા, ખાડા કરવા, અર્થિંગ માટે કોલસો-મીઠું આપવા માટે ગેરકાયદે ફરજ પડાતી હોય છે. આવી ફરિયાદો સરકારને મળતા તેનું ચેકિંગ કરવામાં આવશે અને કસુરવાર કોન્ટ્રાક્ટરને પાંચ વર્ષ માટે બ્લેક લીસ્ટેડ કરાશે તેમ પણ જણાવ્યું હતું.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments