Webdunia - Bharat's app for daily news and videos

Install App

અસલાલી પાસે કારે ટક્કર મારતા ઓવરલોડ પેસેન્જરો ભરેલી રીક્ષા પલટી, ચારના મોત

Webdunia
મંગળવાર, 27 જૂન 2017 (12:29 IST)
અમદાવાદમાં અકસ્માતના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ઓવરલોડ પેસેન્જરો ભરેલી રીક્ષાઓ સરેઆમ રસ્તાઓ પર ફરી રહી છે. પોલીસ આ રીક્ષાઓને દંડવાની જગ્યાએ તેમની પાસેથી હપ્તો લઈને મનફાવે તેમ ફરવા દે છે અને આકસ્મીક અકસ્માતના બનાવો નોતરે છે. ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે અસલાસી ચાર રસ્તા પર  અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.

કાર ચાલકે ટક્કર મારતાં રીક્ષા પલટી ગઈ હતી, રીક્ષામાં 9 લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકમાં 18 વર્ષીય યુવક મહેન્દ્ર વણઝારાનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર થોડા સમય માટે વાહનવ્યવહારન અસર થઈ હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગુનો નોંધીને કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથધરી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પોપટને શોધનારને 10 હજારનું ઈનામ, અયોધ્યામાં પોસ્ટર જોઈને બધા આશ્ચર્યચકિત

આગળનો લેખ
Show comments