Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 જૂનના કોંગ્રેસના મિલન સમારંભની પત્રિકામાંથી શંકરસિંહનું નામ ગાયબ હોવાની ચર્ચાઓ

Webdunia
બુધવાર, 7 જૂન 2017 (14:10 IST)
આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ 57 ધારાસભ્યો રિપીટ થશે અને તેમને ટિકિટ મળશે તેવી જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી હતી.  ત્યારે આજે ભરત સિંહ સોલંકી કૉંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ કરવાના ભાગરૂપે શંકરસિંહ વાઘેલાને ગાંધીનગર તેમના નિવાસસ્થાન વસંગ વગડે મળવા પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં ભરત સિંહ અને બાપુ વચ્ચે કૉંગ્રેસના મિલન સમારંભ અને બાપુની નારાજગી અંગે ચર્ચા થઇ હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 9મી જૂનના રોજ કૉંગ્રેસનો મિલન સમારોહ યોજાવાનો છે. તેની પત્રિકામાં બાપુનું નામ નથી તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ સમારોહમાં પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત પર હાજર રહેવાના છે. પરંતુ શંકરસિંહ વાઘેલા હાજર નહીં રહે તેવી ચર્ચા છે. કહેવાય છે કે બાપુ પ્રદેશની નેતાગીરીથી હજુ પણ નારાજ છે. પ્રમુખ સોલંકીએ જણાવ્યું કે, કોંગ્રેસની ચૂંટણી સમિતિ અને પ્રદેશ સંગઠનમાં વિસ્તરણ ની ટૂંકમાં જાહેરાત કરાશે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સોમવાર અને મંગળવાર એમ બે દિવસ દિલ્હી ગયા હતા. તેમની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને ચાર સહપ્રભારી વચ્ચે પણ બેઠક યોજાઇ હતી. પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલને પણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વિગતવાર ચર્ચા થઇ હતી. દરેક જિલ્લા અને બેઠક પ્રમાણે સંગઠન, બુથ, સમીકરણો સહિતની ચર્ચા થઇ હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એવો દાવો કર્યો હતો કે મોવડીમંડળ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા માટે ચર્ચા થઇ છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના 57 ધારાસભ્યો જીતી શકે તેવા હોવાથી તેમને રિપીટ કરવાનું મોવડીમંડળે નક્કી કર્યું છે. આ 57 ધારાસભ્યો તેમની બેઠક જીતશે એટલે કોંગ્રેસને સરકાર બનાવવા માટે 65 બેઠકોની જરૂર પડે તેમ છે. કોંગ્રેસ એકાદ અઠવાડિયામાં પ્રદેશ માળખાનું વિસ્તરણ અને ફેરફારની જાહેરાત કરશે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી સમિતિની જાહેરાત પણ કરાશે. આ મીટિંગમાં જ 57 ધારાસભ્યોને રિપીટ કરવાનું નક્કી થયું હતું. હાઇકમાન્ડે કોંગ્રેસના વર્તમાન 57 ધારાસભ્યોની ટિકિટ પર મહોર મારી દીધી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments