Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલિતોને થતા અન્યાયને કારણે સુરેન્દ્રનગરમાં 50 હિન્દુઓએ બોદ્ધ ધર્મ અપનાવ્યો

Webdunia
શુક્રવાર, 12 મે 2017 (11:45 IST)
વઢવાણ ઘરશાળા સામે આવેલ ગુજરાત બૌદ્ધ મહાસંઘ, અમરોબોધિ બૌદ્ધિવિહાર ખાતે 10 જિલ્લાના 50 જેટલા લોકોએ બૌદ્ધ ધર્મમાં જોડાયા હતાં. હિન્દુ ધર્મમાં અજગરીભરડા સમાન વધી રહેલી અસમાનતા અને ભેદભાવની નીતિનું મુખ્ય કારણ આ ધર્મમાં દીક્ષા લેનાર લોકોમાં શૂર જોવા મળ્યો હતો. હિન્દુ ધર્મમાં માત્ર ગણીને તેનો ઉપયોગ જ કરવામાં આવતો હોવાની સાથે અનેક પ્રકારની બાબતોથી પણ આ સમાજનાં લોકોને દૂર રખાતો હોવાનું દીક્ષા લેનાર લોકોએ જણાવ્યું હતું.

આ અંગે અમરબોધિ બૌદ્ધ વિહારનાં ભંતે પથીક ખુશાલચંદજી શ્રેષ્ઠીએ જણાવ્યું કે, દલિતોને થતા અન્યાયના કારણે ગુજરાતમાંથી અમદાવાદ, રાજકોટ, બોટાદ, મોરબી,જૂનાગઢ, ભાવનગર સહિત 10 જેટલા જિલ્લાઓમાંથી ધર્મપરિવર્તન માટે  લોકો આવ્યા હતાં. જેમાં એસ.સી. અને એસ.ટી.નાં 50 જેટલા લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. જેમાં આ લોકોનાં જિલ્લાના ક્લેકટરો સાથે વાત કરીને ફોર્મ પણ ભરાઇ ગયા છે. હવે આ લોકો બૌદ્ધ ધર્મમાં નવા નામ, સરનામા સાથે પોતાના જીવનની શરૂઆત કરશે. બોટાદ જિલ્લાના કે.ટી.મકવાણા, તેમના પત્ની અને પુત્રીએ પણ સુરેન્દ્રનગરમાં યોજાયેલા બૌદ્ધ ધર્માન્તરણમાં જોડાયા હતાં. સમાનતાની સાથે આ ધર્મનો મુખ્ય ઉપદેશ ‘‘અપો દિપો ભવ’’ એટલે કે તારો દીપ તુ જાતે જ પ્રગટાવ. જેના કારણે મારા સહપરિવાર સાથે મે આજે બૌદ્ધ ધર્મને સ્વીકાર્યો હતો.સુરેન્દ્રનગરની મેડકિલ કોલેજમાં ભણતી રીકંલ પરમારે પરિવારના ચાર સભ્યો સાથે દીક્ષા લીધી હતી. આ વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, અમે હિન્દુ ધર્મમાં હોવા છતાં વારંવાર કંઇ જ્ઞાતિના છો તેવા પ્રશ્નો કરીને નીચા પાડી દે છે. પરંતુ બૌદ્ધ ધર્મની જાણકારી મેળવ્યા બાદ અહીંયા સમાનતા અને બધાને એક સરખા ગણવામાં આવે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments