Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેનરિક દવાના સ્ટોરની ફ્રેન્ચાઈઝી માટે ગુજરાતમાં કોઈ લેવાલ નથી

Webdunia
બુધવાર, 3 મે 2017 (14:43 IST)
રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી શરૂ કરેલી પંડિત દિનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી એટલે કે જેનરિક સ્ટોરની ફેન્ચાઈઝી માટે ગુજરાતમાં કોઈ લેવાલ નથી. નાગરિકોને સસ્તી દવા અને ફાર્માસિસ્ટને રોજગાર મળી રહે તે ઉદ્દેશ્યથી સરકારે ૫૦૦ જેનરિક સ્ટોર ખોલવા જાહેર કરેલા ટેન્ડરને ખાસ કોઈ પ્રતિસાદ મળ્યો નથી. આથી, ગુજરાત મેડિકલ સવર્સિ કોર્પોરેશને ટેન્ડરની મુદ્દત ડિસેમ્બર’૧૬ પછી બબ્બે વખત લંબાવી છે. ગતવર્ષે સપ્ટેમ્બરમાં સરકારે તાલુકાદિઠ ઓછામાં ઓછા એક અને મોટા શહેરોમાં ૨૦૦થી વધુ એમ કુલ ૫૦૦ જેનરિક દવાઓના સ્ટોર ખોલવા ૨૦૦૦થી વધુ સસ્તી દવાઓ સપ્લાય કરવાની શરતે ફાર્માસિસ્ટ પાસે અરજીઓ મગાવી હતી. પહેલા તબક્કે મળેલી અરજીઓમાંથી માંડ ૫૩ સ્ટોર જ શરૂ થઈ શક્યા છે. આથી, ટેન્ડરની મુદ્દત વધાર્યાનું જણાવતા આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું કે બીજા પ્રયાસમાં ૭૮ સ્ટોરને મંજૂર કર્યા છે, વધુ ૫૦ અરજી સ્ક્રુટીની હેઠળ રહી છે. આમછતાં ૫૦૦નો ટાર્ગેટ પૂર્ણ થાય તેમ નથી !
વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments