Webdunia - Bharat's app for daily news and videos

Install App

માલગઢ ગામની મહિલાઓ હવે ઘૂંઘટ પ્રથામાંથી મુક્ત બની

Webdunia
સોમવાર, 1 મે 2017 (16:47 IST)
બનાસ નદીના કિનારે વસેલા 20 હજારની વસ્તી વાળા માલગઢ ગામમાં ગાયત્રી પરિવાર દ્વારા એક અનોખો પરિવર્તનનો પવન ફૂંકાયો છે. અહીં થોડા દિવસ પહેલાં પ્રખર પ્રજ્ઞા અને સજલ શ્રધ્ધાના ચરણપીઠની સ્થાપના કરાઇ હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હરિદ્વાર શાંતિકુંજના કાર્યકરો ગોવિંદ પાટીદાર, કિર્તન દેસાઇ, કિરણભાઇ પટેલ અને અમરનાગ વગેરે માલગઢ આવ્યા હતા અને સંગ્રામસિંહ સોલંકીના ફાર્મમાં રોકાયા હતા. જ્યાં તેમણે ઘૂંઘટ પ્રથા જોઇ હતી.  જેમાં પરિવર્તન જરૂરી જણાતાં આ અંગે સમજ અાપી અને અભિયાન શરૂ થયું. ગામના અલગ- અલગ 16 પરિવારોની મુલાકાત લઇ મહિલાઓને ઘૂંઘટ પ્રથામાંથી મુક્ત કરાવવા શપથ પણ લેવડાવ્યા.

પરિવારજનો પણ ઘૂંઘટ પ્રથામાંથી મુક્ત કરાવવા સંમત થયા. જેમાં ગામના નાથાજી સોલંકી, મોહનભાઇ માળી, મોહનભાઇ પઢિયાર, ભરતભાઇ માળી સહિતના લોકોએ ઘૂંઘટ પ્રથામાંથી મહિલાઓને બહાર લાવવા સંકલ્પ કર્યા. જ્યારે લક્ષ્મણસિહ ગુલાબસિંહ સોલંકીના પરિવારની 35 મહિલાઓ સહિત 100થી 150 મહિલાઓ હવે ધીરે-ધીરે ઘૂંઘટ પ્રથામાંથી બહાર આવી સામાજિક પરિવર્તનની દિશામાં પગરણ માંડશે. નારીને કલ્યાણીના રૂપમાં જોવાય છે. દેવીઓની પૂજા થાય છે ત્યારે બીજી તરફ નારીઓ ને ઘૂંઘટ (બંધન)માં રાખો છો. વહુને દીકરી તરીકે સ્વીકારતા નથી. તો દીકરી અને પિતાના સંબંધો કેવી રીતે બનશે. મર્યાદા જાળવો, પણ આજીવન કારાવાસ શા માટે?  મારા લગ્ન ત્રણ વર્ષ અગાઉ જ રેખા સાથે થયા છે. અમારા સમાજમાં વડીલોની આમાન્યા રાખવા ઘુંઘટ પ્રથા હતી. આ કાર્યક્રમ પછી અમારામાં પરિવર્તન આવ્યું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments