Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેરેંટ્સએ 30 હજારનો કૂતરો લઈ ના આપ્યો તો 16 વર્ષના છોકરાએ આપ્યો જીવ

Webdunia
બુધવાર, 16 જૂન 2021 (13:41 IST)
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી એક દુ:ખદાયક ઘટના સામે આવી છે. જ્યાં એક સગીર છોકરાએ આત્મહત્યા કરી હતી કારણ કે તેના માતા- પિતાએ તેને કૂતરાને ઘરમાં ઉછેરવા લાવવાની ના પાડી હતી.  આ દુખદ ઘટના આંધ્રપ્રદેશના કાંઠેનો શહેર વિશાખાપટ્ટનમમાં સોમવારે થઈ. શહરના વેંકટેશ્બ્વરા મેટ્ટા ક્ષેત્રમાં 16 વર્ષના છોકરા ષણમુખ વામસીએ સીલિંગ ફેનથી લટકીને જીવ ગુમાવ્યો. 
 
હકીકતમાં આ છોકરા 30,000 રૂપિયામાં કૂતરા ખરીદી કરી ઘરમાં લાવવા ઈચ્છતા હતા પણ માતા-પિતાએ આવુ કરવાની પરવાનગી નથી આપી હતી. ષણમુખ વામસીએ આ કૂતરો ઑનલાઈન બિક્રી વેબસાઈટ પર 
જોયુ હતું. 
 
પ્રાઈવેટ કૉલેજના છાત્ર ષણમુખ વામસીની માતા કૂતરા ઘરમાં રાખવા તૈયાર ન હતી. વામસીએ કહ્યુ કે થોડા સમય રૂકી જા પછી કૂતરો ખરીદી લઈશ. પણ પરિવારવાળાના આવુ કહેતા પર ષણમુખ વામસી નિરાશ 
થઈ ગયુ હતું. 
 
માતા સોમવારે જરૂરી ઘરેલૂ સામાન ખરીદવા બજાર ગઈ તો તે સમયે ઘર પર કોઈ નહી હતું. કૂતરાને ઘરમાં ન ઉછેરવાના કારણે નિરાશ ષણમુખ વામસીએ પોતાને ફાંસી લગાવી લીધી. માતાએ ઘર આવીને 
જ્યારે આ જોયું તો હોશ ઉડી ગયા. 
 
ષણમુખ વામસીને તરત હોસ્પીટલ પહોચાડ્યું પણ ત્યારસુધી ખૂબ મોડું થઈ ગયું હતું. ડાક્ટરોએ ષણમુખને મૃત જાહેર કર્યું. એમઆર પેટ્ટા થાણાની પોલીસએ આ બાબતમાં કેસ દાખલ કર્યુ છે અને તપાસ ચાલી રહી છે. પોલીસ મુજબ અપરાધિક દંડ સંહિતા (CRPC)ની ધારા 174 હેઠણ કેસ દાખલ કરાયુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments