Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગર પાસે ટેકનિકલ ખામીને કારણે વાયુસેનાના હેલિકોપ્ટરનું ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ

Webdunia
મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (13:14 IST)
ભારતીય વાયુ સેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના હેલિકોપ્ટરમાં ટેકનિક ખામી સર્જાતા ભાવનગર પાસેના ખેતરમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. આ હેલિકોપ્ટર સુરતથી જામનગર તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા ખેતરમાં જ ઈમરજનસી લેન્ડીંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરમાં રહેલા ક્રુ મેમ્બર સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામના ખેતરમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ થતાં ખેડૂતોમાં કૂતુહલ સર્જાયું છે. સુરતની કટોકટીની કામગીરી માટે કાર્યરત એરફોર્સનાં હેલિકોપ્ટરને કુકડ ગામ, ઘોઘા, ભાવનગર નજીક જવું પડ્યું હતું. તમામ ઓન-બોર્ડ સલામત છે. કોઈ તબીબી સહાયની જરૂર નથી. વહીવટી સહાય અને તેમની સલામતી માટે પોલીસ અને મામલતદાર સ્થળ પર પહોંચ્યા છે. સરપંચ પહેલાથી જ સ્થળ પરછે. હેલિકોપ્ટરમાં સવાર 9 લોકો સુરતથી જામનગર જઈ રહ્યાં હતાં. વહિવટી તંત્રએ ફ્લાઇટ લેફ્ટનન્ટ નીતીશનો સંપર્ક કરી વિગતો મેળવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments