Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક મારી આસપાસ રહેશે તો તેને નુકસાન થાય તેમ છે - શંકરસિંહ વાઘેલા

Webdunia
શુક્રવાર, 16 નવેમ્બર 2018 (16:49 IST)
કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે તેમના નિવાસ સ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પરિષદમાં તેમણે કહ્યું હતું કે ભાજપે હાર્દિકને ઘરની બાબતમાં હેરાનગતિ કરવી જોઈએ નહીં, હાર્દિક જો મારા પડછાયામાં રહેશે તો તેને નુકસાન થાય તેમ છે, જે યોગ્ય નથી.જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના લોકસભા ચૂંટણી લડવાને લઇ જણાવ્યું હતું કે, હું દિલ્હીમાં અડવાણીને મળ્યો હતો તેમની સાથેની વાતચીતમાં મેં પૂછ્યું હતું કે તમે ગાંધીનગરથી ચૂંટણી લડવા ના છો તો અડવાણીએ હા પાડી અને તેમણે ઈશારો કર્યો હતો કે, જો RSS કહેશે તો ચોક્કસ લડીશ. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થવાની આગાહી કરતા વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વળતા પાણી દેખાય રહ્યા છે, જ્યારે ભાજપ સિવાયના અન્ય રાજકીય પક્ષો 300 બેઠકો સાથે કેન્દ્રમાં સત્તા હાંસલ કરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પોતાનો મુખ્ય રોલ રહેશે. સમગ્ર દેશમાં પ્રવાસ કરી રહ્યો છું અને ભાજપ વિરોધી જે કોઈ પક્ષ લડતા હશે તેમને સાથ આપવા હું તૈયાર છું.
 કેન્દ્રની મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ હોવાનો ઉલ્લેખ કરતા વાઘેલાએ કહ્યું હતું કે સૌથી વધુ દુઃખી દેશના ખેડૂતો છે તેમને પોષણક્ષમ ભાવો ન મળતા આપઘાત કરી રહ્યા છે. જે ઘણી દુઃખદ બાબત છે.મેં ગઈકાલે ઇલેક્શન કમિશનને પત્ર લખ્યો છે, મેં લખ્યું છે કે જે EVMનો હેતુ જલ્દી મતદાન કરવાનો હતો. પરંતુ ઘણી સમસ્યાઓ સામે આવી છે. EVMમાં ટેમ્પરિંગ થાય છે એટલે ડેવલપ દેશોએ છોડી દીધા. આવનારી ચૂંટણીમાં પેપર બેલેટ લગાવવામાં આવે તો પેપરટ્રેલ બધાં બૂથ અને મશીન પર લગાવવામાં આવે જેથી મતદાર વેરીફાઈ કરી શકે અને મતદારને હાશ થાય કે એણે જ્યાં મત નાંખ્યો છે ત્યાં પડ્યો છે.લોકસભાનો કોઈ પણ વિસ્તાર કે પાર્ટી રિકાઉન્ટ માંગે તો પેપરટ્રેલની ગણતરી કરવી,જેથી લોકશાહી બચાવી શકાય. ઇલેક્શન કમિશન ઐતિહાસિક નિર્ણય લઈને સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપે જેથી જરૂર લાગે એ જગ્યાએ પેપરટ્રેલનું કાઉન્ટ કરી શકાય અને પારદર્શિતા માટે મેં માંગણી કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments