Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાધુ બનેલા યુવકે માતાપિતા વિરૂધ્ધ આક્ષેપો કરતી અરજી કરી

Webdunia
બુધવાર, 17 ઑક્ટોબર 2018 (12:04 IST)
ગોતા વિસ્તારમાં રહેતા અને ભાડજના એક મંદીરમાં નિયમિત જતા યુવક સાધુ બની ગયો હતો. જોકે માતાપિતાએ તેના ભણતર પાછળ લાખ રૃપિયા ખર્ચો કર્યો હોવાનું કહીને કોર્ટોનો આશરો લઈને પુત્રને પરત સંસારમાં લઈ આવ્યા હતા. બીજીતરફ પુત્રએ માતાપિતા તેને માનસિક બિમાર સાબિત કરવા માંગે છે એવો આક્ષેપ કરીને પોતાને આધ્યાત્મ માર્ગે જ જવું છે કહીને માતાપિતા વિરૃધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
માબાપ માનસિક બિમાર સાબિત કરવા માંગે છે કહી યુવકે આધ્યાત્મના માર્ગે જવાનું પસંદ કર્યું  આ બનાવની વિગત મુજબ ભાડજના એક મંદીરમાં નિયમિત જતા ગોતાના રહેવાસી ધર્મેશ ગોલને આધ્યાત્મનો રંગ લાગ્યો હતો. જેને પગલે તે સન્યાસી બની ગયો હતો. ઊચ્ચ શિક્ષણ માટે માતાપિતાએ ધર્મેશ પાછળ લાખો રૃપિયા ખર્ચ કર્યો હતો.તેમને પુત્ર સન્યાસી બને તે પસંદ ન હતું. આથી તેમણે કોર્ટનો સહારો લઈને સમાધાન કરીને પુત્રને પાછો મેળવ્યો હતો. 
થોડા દિવસ માતાપિતા સાથે રહ્યા બાદ ૧૫ ઓક્ટોબરના રોજ ધર્મેશે સોલા પોલીસ સ્ટેશનમાં માતાપિતા વિરૃધ્ધ અરજી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ધર્મેશે હું ઉમરલાયક છું અને મારે જે રીતે જીવવું હોય તે રીતે જીવવા માંગુ છું એમ અરજીમાં જણાવ્યું હતું. વધુમાં ધર્મેશે તેના માતાપિતા તેને માનસિક બિમાર સાબિત કરવા માંગે છે, એવો આક્ષેપ કર્યો હતો. જોકે મારે આધ્યાત્મના માર્ગે જ જવું છે અને હુ મારા ઘરેથી નીકળું છું, એમ વધુમાં જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments