Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરોડા પાટિયામાં કેસમાં માયા કોડનાનીની અરજીમાં અનેક વિરોધાભાસ છે- હાઇકોર્ટ

Webdunia
મંગળવાર, 2 મે 2017 (13:01 IST)
નરોડા પાટિયા રમખાણ કેસમાં 8 સાક્ષી બોલાવવા માયા કોડાનાનીએ કરેલી અરજીની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે કોડાનાનીના વકીલ સામે કેટલાક વેધક સવાલો ઉભા કર્યા હતા. કોર્ટે કોડનાનીના વકીલને એવી ટકોર કરી હતી કે તેની સાક્ષી બોલાવવાની રજુઆતમાં જ અનેક વિરોધાભાસ દર્શાવ્યા છે. આ અરજી પર હાઇકોર્ટ ચુકાદો આપશે તો સમગ્ર કેસની અપીલ પર તેની અસર પડશે. એટલુ જ નહી નરોડા ગામ કેસ પર પણ તેની અસર થશે. શુ કોડનાનીએ હાલના તબક્કે આ અરજી કરવી જરૃરી છે?

નરોડા પાટિયા કેસમાં અમિત શાહ સહિતના 8 સાક્ષીઓને સમન્સ પાઠવવા માયા કોડનાનીએ અરજી કરી છે. અરજીમાં અમિત શાહને શા માટે બોલાવવા અને અન્ય સાક્ષીઓને કયા કારણોસર સમન્સ પાઠવવા તે અંગે માયા કોડનાનીના વકીલે કરેલી રજુઆતમાં અનેક વિરોધાભાસ છે તેવી કોર્ટે ટકોર કરી હતી. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે નીચલી કોર્ટમાં ચાલતા નરોડા ગામ કેસ કરતા પહેલા નરોડા પાટિયા કેસનો ચુકાદો આવી શકે છે. અને તેની અસર નરોડા ગામ ઉપર પણ પડી શકે છે. હાઇોકર્ટની ટકોર બાદ કોડનાનીના વકીલે કોર્ટે ઉઠાવેલા સવાલોનો જવાબ આપવા સમય માગ્યો છે . જેની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments