Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલાહાબાદ હાઈકોર્ટના વર્તમાન જજ જસ્ટિસ નારાયણ શુક્લા ભારતના પ્રથમ એવા ન્યાયાધીશ હશે કે જેમના પર ખટલો ચાલશે.

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (13:36 IST)

અલાહાબાદ હાઈકોર્ટના વર્તમાન જજ જસ્ટિસ નારાયણ શુક્લા ભારતના પ્રથમ એવા ન્યાયાધીશ હશે કે જેમના પર ખટલો ચાલશે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ બુધવારે સીબીઆઈની અરજી સ્વીકારી લીધી અને તપાસ એજન્સીને જસ્ટિસ શુક્લા વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલે એફઆઈઆર દાખલ કરવાની મંજૂરી આપી દીધી.

આ પહેલાં જસ્ટિસ શુક્લા પર કેસ દાખલ કરવા માટે સીબીઆઈએ ભારતના મુખ્ય ન્યાયાધીશને એક પત્ર લખ્યો હતો.

પત્રમાં જણાવાયું હતું કે ભારતના પૂર્વ ન્યાયાધીશ દીપક જસ્ટિસ દીપક મિશ્રાની સલાહના આધારે જસ્ટિસ શુક્લા પર એક પ્રારંભિક તપાસ શરૂ કરાઈ હતી.

એ વખતે જસ્ટિસ શુક્લા દ્વારા કથિત રીતે આચરવામાં આવેલી અનિયમિતતાના મામલે ભારતના એ વખતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ પત્ર મળ્યા બાદ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈને જસ્ટિસ શુક્લા વિરુદ્ધ એફઆઈઆઈ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે.

જસ્ટિસ શુક્લા પર આરોપ છે કે તેમણે કથિત રીતે એક ખાનગી કૉલેજને ફાયદો પહોંચાડ્યો અને વર્ષ 2017-18ની બૅચના વિદ્યાર્થીઓના પ્રવેશની અંતિમ તારીખ ખોટી રીતે વધારી દીધી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments