Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવભૂમિ દ્વારકામાં મોટી દુર્ઘટના - નાયરા રિફાઇનરીમાં ગરમ પાણી ઉડતાં 10 કર્મીઓ દાઝ્યા

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (10:51 IST)
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા નજીક આવેલ જામનગર રોડ પરની નાયરા રિફાયનરીમાં આજે બપોરે મોટી દુર્ઘટના ઘટી હતી. એઆરસી પ્લાનમાં વેક્યુમ રેસીડ્યું ડામરની લાઈન ચોકઅપ થઇ જતા કામ કરતા કર્મચારીઓ અને શ્રમિકોએ લાઈન રીપેર કરવાની કામગીરી શરુ કરી હતી. દમિયાન ઊંચા તાપમાને લાઈન ખોલતા જ અંદરથી ધગધગતો ડામર અને ગરમ પાણીનો ધોધ વછુટ્યો હતો. આ દુર્ઘટનામાં 10 કર્મચારીઓ દાઝી જતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં બે કર્મચારીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 
 
જામનગર-ખંભાલીયા ધોરી માર્ગ પર આવેલ નાયરા પેટ્રોલીયમ રિફાયનરીમાં આજે બપોરે ઘટેલ ઘટનાની વિગત મુજબ, રિફાયનરીના મીકેનીકલ ડીપાર્ટમેન્ટમાં ડામરની લાઈન ચોકઅપ થઇ જતા આજે લાઈન ખોલીને સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  ડામરની લાઈન સાથે સ્ટીમ વોટર લાઈન પર જોડાયેલ હોય છે. ડામરની લાઈન ખોલતા જ આ ઘટના ઘટી હતી. લાઈન ખોલતા જ ગરમ પાણી અને ડામર પ્રચંડ વેગથી ઉડતા સાઈટ પર કામ કરતા સાત મજુર જપટે ચડી ગયા હતા. જેને લઈને કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી
 
પાઈપલાઈનમાંથી પાણી ઉડતા દાઝી ગયેલા કર્મચારીઓની રાજકોટ અને જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ 10 કર્મચારીઓ પૈકી 2 કર્મચારીઓની હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો કંપનીમાં આ બનાવ કેવી રીતે બન્યો તેનું કારણ શોધવા તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments