Webdunia - Bharat's app for daily news and videos

Install App

N-95 માસ્કનો વિવાદ વકર્યોઃ રૂા.65માં સરકાર વેચે છે: કેમીસ્ટો 50માં વેચશે

Webdunia
સોમવાર, 25 મે 2020 (14:23 IST)
કોરોના સંકટમાં માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યુ છે ત્યારે તેની નવા વેચાણ ફોર્મ્યુલાથી વિવાદ ઉભો થયો છે. રાજય સરકારે અમુલ પાર્લરો પરથી રૂા.65 માં એન-95 માસ્ક વેચવાનું શરૂ કર્યું છે. ત્યારે ગુજરાતનાં કેમીસ્ટોએ માત્ર રૂા.50 માં જ આવા માસ્ક આપવાનું એલાન કરતાં સરકાર તથા સંગઠન જ સામસામા આવી જવાના ભણકારા છે. ગુજરાત મેડીકલ સર્વીસ કોર્પોરેશન પાસેથી ખરીદી કરીને અમુલ પાર્લર મારફત 65 રૂપિયામાં એન-95 માસ્ક આપવાનું સરકારે જાહેર કર્યું હતું તેની ગુણવતા સામે સવાલ શંકા ઉઠાવીને ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.એ રૂા.50 માં એન-95 માસ્ક વેચવાનું એલાન કર્યું છે.,સંગઠનના પ્રમુખ જશુભાઈ પટેલે કહ્યું કે સરકાર જે એન-95 માસ્ક રૂા.65 માં વેંચવા મુકયા છે તે જ પ્રકારના માસ્ક 50 માં વેંચશુ. કેમીસ્ટો 50 રૂપિયામાં આ માસ્ક વેંચી શકતા હોય તો સરકાર શું કામ નીચા ભાવે વેચી ન શકે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત તા.18 મીએ એવુ જાહેર કર્યૂ કે સરકાર અમુલ પાર્લરો પરથી થ્રીલેયર માસ્ક રૂા.5 તથા એન-95 માસ્ક રૂા.65 માં વેચશે.કેમીસ્ટ એસોસીએશને તેની ગુણવતા સામે સવાલ ઉઠાવ્યા હતા. એસોસીએશનનું એવુ કથન છે કે એન-95 માસ્ક પાંચ લેયર ધરાવે છે અને તેનો ઉત્પાદન ખર્ચ જ રૂા.135 હોય છે. જીએસટી તથા પરિવહન ખર્ચ ઉમેરવામાં આવે તો પડતર રૂા.160 ની થાય છે. સરકાર રૂા.65 માં વેચે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે રૂા.65 વાળા માસ્ક સાચા એન-95 જ છે? તેની ગુણવતા પર શંકા છે. કેમીસ્ટો આજ ગુણવતાના માસ્ક રૂા.65 માં વેચે જ છે. સંગઠનનાં અધ્યક્ષ અલ્પેશ પટેલે કહ્યું કે ગુજરાતમાં 35000 કેમીસ્ટો સંગઠનના સભ્યો છે માત્ર અમદાવાદમાં જ 5000 કેમીસ્ટો જોડાયેલા છે. આજથી અમદાવાદ-વડોદરામાં એન-95 માસ્ક સભ્ય કેમીસ્ટોને પહોંચતા કરાશે અને એક સપ્તાહમાં રાજયનાં તમામ કેમીસ્ટો સુધી આ માસ્ક પહોંચી જશે.પ્રથમ તબકકે એક લાખ માસ્કનું ઉત્પાદન થશે અને પછી જરૂરીયાત મુજબ ઉત્પાદન કરાતું રહેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments