Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યની ૬ મહાનગરપાલિકાઓના પ્રતિનિધિઓની મૂદત પૂર્ણ, સંબંધિત મ્યુનિસિપલ કમિશનરો સંભાળશે જવાબદારી

Webdunia
શુક્રવાર, 11 ડિસેમ્બર 2020 (12:40 IST)
રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત તા.૧૩ ડિસેમ્બર-ર૦ર૦ના પૂરી થતાં આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થતાં સુધી આ મહાનગરપાલિકાઓના વહીવટી વડા તરીકે હાલ કાર્યરત મ્યુનિસિપલ કમિશનરોને આવી મહાનગરપાલિકાની રોજબરોજની કામગીરી વહન કરવાના આદેશો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા છે. 
 
તદઅનુસાર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીઓ આવી રોજિંદી કામગીરી સંભાળશે. આ સમય દરમ્યાન તેઓ કોઇ નીતિવિષયક નિર્ણયો લઇ શકશે નહી. આ ૬ મહાનગરોમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થાય અને નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળે નહિ ત્યાં સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ રોજબરોજની કામગીરી વહન કરશે તેમ પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે. 
 
મહાનગરોમાં રોજબરોજના નાગરિક સુખાકારી કામો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નાગરિકોને દુવિધા ન પડે તેવા હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments