Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં M.S. Universityમાં NSUI અને ABVPના સ્ટુડન્ટ્સ વચ્ચે મારામારી

Webdunia
ગુરુવાર, 22 જૂન 2017 (17:00 IST)
વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રથમ દિવસે જ NSUI અને ABVPના સ્ટુડન્ટ્સ વચ્ચે વોટ બેંકની રાજનીતીમાં છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. જેમાં બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં આજથી બી.કોમ.માં પ્રવેશ આપવાની શરૂઆત થઇ છે.  જેથી પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માટે આવતા સ્ટુડન્ટ્સને મદદ કરવા માટે NSUIના અગ્રણીઓએ કોમર્સ ફેકલ્ટીમાં અડ્ડો જમાવી દીધો હતો.

જેની જાણ ABVPના  સ્ટુડન્ટ્સને થતાં તેઓ પ્રવેશ પક્રિયા સામે વાંધો ઉઠાવીને કોમર્સ ફેકલ્ટીને તાળાબંધી કરવા માટે પહોંચી ગયા હતા. આ સમયે NSUIના  સ્ટુડન્ટ્સ ABVPના  સ્ટુડન્ટ્સને તાળાબંધી કરતાં રોકતા મામલો બીચક્યો હતો. અને બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી શરૂ થઇ ગઇ હતી. મારામારી થતાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માટે આવેલા સ્ટુડન્ટ્સમાં દોડધામ મચી ગઇ હતી. બંને  સ્ટુડન્ટ્સ જૂથો વચ્ચે થયેલી મારામારીમાં ABVPના નિકુલ રાણા સહિત બે  સ્ટુડન્ટ્સને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંને  સ્ટુડન્ટ્સને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોમર્સ ફેકલ્ટીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોવાની જાણ સયાજીગંજ પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો દોડી ગયો હતો.  કેમ્પસમાં થયેલી મારામારીના પગલે ABVP અને NSUIના અગ્રણીઓ પણ કોમર્સ ફેકલ્ટી ખાતે દોડી ગયા હતા. આ સાથે  સ્ટુડન્ટ અગ્રણીઓ હોસ્પિટલ ખાતે પણ દોડી ગયા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments