Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમા રૂપાણીએ પીએમ મોદી સાથે ગુજરાતના સળગતા સવાલોની ચર્ચાઓ કરી

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (15:54 IST)
મુખ્યમંત્રી વિજય રૃપાણી  સોમવારે બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એમણે સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મંગળવારે તેમણે વડાપ્રધાન પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સૌથી વધુ ચર્ચાનો વિષય ગુજરાતમાં પાણીની અછતનો મુદ્દો રહ્યો હતો. જેમાં પીએમ મોદીએ પણ તેમને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત બંને વચ્ચે ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે પણ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી  રૂપાણી અને પીએમ મોદી વચ્ચે થયેલી આ મુલાકાતની જાણકારી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આપી હતી. જેમાં તેમણે લખ્યું કે, પીએમ મોદી સાથેની મુલાકાતમાં ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થઈ.  આ મુલાકાત દરમિયાન ગુજરાત સંદર્ભે એમણે પરામર્શ કર્યો હતો. પીએમ સિવાય તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૃ થવાનું છે અને ૨૦મીએ બજેટ રજૂ થનારું છે, ત્યારે આ સંદર્ભમાં માર્ગદર્શન મેળવાય તેમ સમજાય છે. મુખ્યમંત્રી મંગળવારે જ ગાંધીનગર પરત ફરશે તેમ જણાવાઈ રહ્યું છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments