Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સાથે ગુજરાતનાં શહેરોમાં 400થી વધુ શિશુનો જન્મ થયો

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (12:44 IST)
More than 400 babies were born in the cities of Gujarat
 






- સોમવારે શુભ મુહૂર્ત દરમિયાન 400થી વધુ બાળકોના જન્મ 
- મોટી સંખ્યામાં બાળકોને પ્રભુ શ્રીરામ અને સીતા માતાના નામ અપાયાં
- મુસ્લિમ પરિવારે પોતાના નવજાત પુત્રને રામરહીમ નામ આપ્યું


શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના પાવન પ્રસંગને ધ્યાનમાં રાખીને દેશભરમાં મોટી સંખ્યામાં માતા-પિતાએ ડૉક્ટર્સની સલાહના આધારે સોમવારે શુભ મુહૂર્ત દરમિયાન બાળકોની ડિલિવરી કરાવી હતી. ગુજરાતમાં જ્યાં વિવિધ શહેરોમાં 400થી વધુ બાળકોના જન્મ થયાં હતાં. મોટી સંખ્યામાં બાળકોને પ્રભુ શ્રીરામ અને સીતા માતાના નામ અપાયાં હતાં. જ્યારે યુપીના ફિરોઝાબાદમાં મુસ્લિમ પરિવારે પોતાના નવજાત પુત્રને રામરહીમ નામ આપ્યું હતું.

ગુજરાતની વાત કરીએ તો દાહોદની પડવાલ હોસ્પિટલમાં 6 બાળકની સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી તો ખાનગી દવાખાનામાં કુલ 43 બાળકનો જન્મ થયો હતો.વડનગરની સિવિલ હૉસ્પિટલમાં 11 બાળકોનો જન્મ થયો હતો. જેમાં એક શિશુનો જન્મ બરાબર 12.30 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા શુભ મુહૂર્ત વખતે થયો હતો. 11 પૈકી 3 સિઝેરિયન અને 8 નોર્મલ પ્રસૂતિ થઈ હતી. પાટણની અગ્રવાલ હૉસ્પિટલના ડૉ.અતુલે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં શિશુનો જન્મ થતા જાણે શ્રીરામ આવ્યા હોય એવો આનંદ રેલાયો હતો.

સાબરકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીયાએ જણાવ્યું કે જિલ્લામાં 49 પીએચસી,13 સીએચસી અને 02 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત સરકારી દવાખાનાઓમાં 22 જાન્યુઆરીએ 27 બાળકોની ઈડીબી એક્સપેક્ટેડ ડેટ ઓફ બર્થ-અપેક્ષિત જન્મ માટે તારીખ આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે સાંજે 4 વાગ્યા સુધીમાં જિલ્લાની 29 પ્રસૂતાઓએ બાળકોને જન્મ આપ્યો છે. આ ઉપરાંત નડિયાદ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના શહેરોમાં પણ શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને બાળકોની ડિલિવરી થઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments