Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે

Webdunia
સોમવાર, 6 માર્ચ 2017 (15:53 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલ તા.૭ માર્ચથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કાલે તેઓ ભરૂચમાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રિજ અને ઓએનજીસી પેટ્રો એડિશન ઓપેલ પ્લાન્ટની તકતીનું અનાવરણ કરશે. ૮મી માર્ચે સોમનાથ મહાદેવનાં દર્શન કરશે અને સ્વચ્છ શક્તિ સપ્તાહ સમાપન સમારોહમાં મહાત્મા મંદિર ખાતે હાજરી આપશે. આ કાર્યક્રમમાં તેઓ દેશભરમાંથી આવેલા છ હજારથી વધુ મહિલા સરપંચોને સંબોધન કરશે.

૭મી માર્ચે વડા પ્રધાન મોદી બપોરે ૨-૩૦ કલાકે સુરત એરપોર્ટ આવશે. સુરતથી હેલિકોપ્ટર દ્વારા દહેજ ખાતે ઓપેલ પ્લાન્ટની મુલાકાત લેશે. સાંજે ૫ કલાકે ભરૂચ ખાતે નવા બનેલા કેબલ બ્રિજ અને ઓપેલ પ્લાન્ટની તકતીનું અનાવરણ કર્યા બાદ જાહેર સભાને સંબોધન કરશે. સાંજે સાત વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે. ૭-૩૦ કલાકે રાજભવન પહોંચશે. તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આયોજિત ડીનરમાં ભાગ લેશે અને રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
૮મી માર્ચે તેઓ અમદાવાદ એરપોર્ટથી દીવ જશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિર જશે. ૧૧ વાગ્યે તેઓ ગાંધીનગર પરત આવવા નીકળશે. બપોરે ૨-૩૦ મહાત્મા મંદિરમાં હાજરી આપશે. મહિલા સરપંચના સંમેલનમાં સંબોધન બાદ સાંજે અમદાવાદથી દિલ્હી પરત ફરશે.
મોદીના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ભરૂચ ખાતે ઝેડ સિક્યોરિટીમાં તૈનાત ૫૦૦ પૈકી ૨૦૦થી વધુ એસપીજી કમાન્ડો હાજર રહેશે. ભરૂચ ખાતે ૧ લાખથી વધુ જનમેદની ઊમટવાની હોઈને રાજ્યનાં ૧૦૦૦થી વધુ અધિકારીઓ અને ૪૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જાળ‍વશે. ગાંધીનગરમાં પણ તેમના પ્રવાસના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. એન.એસ.જી., એસ.પી.જી., ડી.આઈ.જી., એસ.પી.,ની ટીમ સહિત ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તહેનાત રહેશે.
નર્મદા નદી પરના કેબલ બ્રિજના લોકાર્પણ પૂર્વે તેઓ લોકસભા નર્મદાને બંને કાંઠા સુધી પહોંચે તેવા ૩૦૦૦ મીટર લાંબી ચૂંદડી મહોત્સવ દ્વારા ચૂંદડી અર્પણ કરશે. આ પ્રસંગે નદીમાં હજારો દીવડા તરતા મૂકાશે અને નર્મદા મહાઆરતી થશે. અંકલેશ્વર તરફના છેડાથી ૩૦થી વધુ બોટની મદદથી ચૂંદડી અર્પણ કાર્યક્રમ થશે.
૭મીએ તેઓ ભરૂચ ખાતે ૨૦ કરોડના ખર્ચે બનનારા બસ ટર્મિનસનો પણ શિલાન્યાસ કરશે. સોમનાથ ખાતેના તેમના પ્રવાસમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી જોડાશે. વિજય રૂપાણીના બંગલે આયોજિત ડિનરમાં મંત્રી મંડળના તમામ સભ્યો તથા પક્ષના સિનિયર આગેવાનો પણ જોડાશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments