Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિશન ગુજરાત - પીએમ મોદીનો ભવ્ય રોડ શો પછી હવે અમદાવાદમાં આરએસએસનુ મંથન

Webdunia
શુક્રવાર, 11 માર્ચ 2022 (15:05 IST)
એક તરફ ગુજરાતમાં ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી જીતનો જશ્ન મનાવવા અમદાવાદમાં રોડ શો કરી રહ્યાં છે.બીજી બાજુ અમદાવાદમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં RSSના વડા મોહન ભાગવત હાજર રહ્યાં છે. ગુજરાતમાં આાગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે વડાપ્રધાન સાંસદો, ધારાસભ્યો અને ભાજપના નેતાઓ સાથે બેઠક યોજશે અને ચૂંટણીમાં જીત મેળવવા માટેનું માર્ગદર્શન આપશે. એક બાજુ અમદાવાદમાં સંઘનું મંથન ચાલી રહ્યું છે. બીજી બાજુ વડાપ્રધાન ભાજપના નેતાઓ અને કાર્યકરોને ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા માર્ગદર્શન આપી રહ્યાં છે.
 
દેશભરમાં 55 હાજર સ્થાનો ઉપર સંઘની પ્રવૃત્તિ ચાલી રહી છે
આ બેઠકમાં હાલ દેશભરમાં 55 હાજર સ્થાનો ઉપર સંઘની પ્રવૃત્તિ ચાલી રહી છે. જે અવનાર બે વર્ષમાં 1 લાખ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ સિવાય કેવા પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો સાથે લોકો વચ્ચે થઈ શકાય તે અંગે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. સમગ્ર ભારત દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં નાના લઘુ ઉદ્યોગોને કેવી રીતે વેગવંતુ બનાવવા માટેના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. સંઘના સ્વયંસેવકો આવનાર દિવસોમાં ગ્રામ્ય સ્તરે નાના નાના ઉદ્યોગોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ કામ કરશે.
 
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વર્ષ વચ્ચે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ પણ અમદાવાદમાં છે. તેવા સંયોગ વચ્ચે અમદાવાદમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં શતાબ્દી વર્ષની ઉજવણીના કાર્યક્રમો અંગે રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે. વર્ષ 2025માં સંઘના 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજાવાના છે 11 થી 13 માર્ચ સુધી યોજાનારી બેઠકમાં 7 માર્ચથી જ સંઘના વડા મોહન ભાગવત આવી ચૂક્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments