Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં કાપડની ફેક્ટરીના ગોડાઉનમાં આગ, 7ના મોત

Webdunia
રવિવાર, 9 ફેબ્રુઆરી 2020 (14:51 IST)
નારોલ પીપલજ રોડ પાસે આવેલી નંદીમ ડેનિમ નામની કાપડ ફેકટરીનાં ગોડાઉનમાં શનિવારે સાંજે 5.45 વાગ્યે અચાનક ભીષણ આગમાં કર્મચારી સહિત 7 લોકોના મોત નિપજ્યા હતા. આ પાંચેય મૃતકો ફેકટરીના આગળના ભાગમાંથી ભડથું થયેલી હાલતમાં મળી આવેલાલોકોની ઓળખ કરવામાં આવી છે. નંદીમ ડેનિમમાં અચાનક આગ ફાટી નિકળતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
 
ઘટનાની ફાયરવિભાગને જાણ કરતા 12 ફાયરફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ કાબૂમાં આવી ન હતી. આગે વિકરાળસ્વરુપ ધારણ કર્યું હતુ. જો કે, આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. આ કાપડ યુનિટ હોવાથી બે માળના બે મોટા ગોડાઉનમાં કોટન અને કાપડ સહિત અન્ય ચીધવસ્તુઓનો જથ્થોના કારણે આગ ઝડપીથી ફેલાઇ ગઇ હતી. 
આગને કાબુમાં લેવા માટે અત્યાધુનિક ક્રેનની પણ મદદ લેવામાં આવી છે. ફાયર બ્રિગેડ ફેક્ટરીનો શેડ તોડીને ક્રેનની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહી છે. આગ દરમિયાન 7 લોકોના મોત નિપજ્યા છે.
 
આ આગમાં ફેકટરીના ચાર કર્મચારીઓના મોત નિપજ્યા છે.આ કર્મચારીઓ ભિષણ આગના કારણે ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યા છે અથવા આગના કારણે ચારે બાજુ ફેલાયેલા ધુમાડાના ગોંટેગોટાના કારણે ગુંગળાઇ જવાથી તેમના મોત નિપજ્યા છે કે કેમ ? તેનું કારણ પોસ્ટમોર્ટમના રીપોર્ટ બાદ જાણી શકાશે. 
 
મૃતકોની યાદી
 
રોનકબેન રાવલ
કુંજનભાઈ તિવારી
સુમિત્રાબેન પટેલ
ભલાભાઈ મકવાણા
ગણેશ પટેલ
ગોવિંદ કુમાર
અરવિંદ દેસાઈ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments