Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેપારીઓના ખેલથી કેસર કેરીનો ભાવ 40 ટકા જેટલો વધી ગયો

Webdunia
શુક્રવાર, 15 જૂન 2018 (17:20 IST)
મોટા ભાગના લોકોનું પ્રિય ફળ કેરીની સિઝન હવે પૂરી થવાના આરે છે ત્યારે સિઝનના અંત પહેલાં ગીરની કેસર કેરી ખાઇ લેવા ઇચ્છતા સ્વાદ રસિયાઓને ભાવવધારાનો ઝટકો પડયો છે. તાલાલા માર્કેટ યાર્ડમાં વિધિવત્ કેરીની હરાજી બંધ થવાને પગલે કેરીના બોકસમાં સીધો પ૦ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. ગીર ઉપરાંત ભાવનગરની નજીકથી આવતી સોસિયાની કેસરનો પણ ભાવ બોકસ દીઠ ૪૦ ટકા વધ્યો છે. માત્ર એક જ દિવસમાં કેરીના ભાવમાં બોકસ દીઠ રૂ.૩૦૦થી ૪૦૦નો ભાવવધારો થતાં સ્વાદ રસિયાઓ નિરાશ થયા છે. જોકે કેસર કેરીના કિલો દીઠ ભાવમાં પણ એટલો જ ભાવવધારો નોંધાયો છે. કિલો દીઠ રૂ.૮૦થી ૧૦૦માં મળતી કેસર કેરીના ભાવ હવે રૂ.૧ર૦થી ૧પ૦એ પહોંચ્યા છે. ભીમ અગિયારશે કેરી માટેનો ઉત્તમ તહેવાર છે. હજુ અગિયારશને આડે નવ દિવસનો સમયગાળો બાકી છે. આ વર્ષે અધિક માસ આવવાના કારણે અગિયારશ મોડી છે અને તે પહેલાં જ કેરીની આવકની સામે માગમાં વધારો થતાં કેરીના ભાવમાં બમણો ઉછાળો આવ્યો છે. કેરીની આવક ઘટી છે. હાલમાં તલાલા માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી બંધ થયા પછી ઊના, વલસાડ, સુરત, નવસારી, તળાજા, મહુવાથી કેરીની પાંખી આવક છે. ઘટતી આવક અને માગ વધારાના પગલે નાની કેરીના રૂ.૭૦૦ના બદલે રૂ.૧,૦૦૦ અને મોટી કેરીના રૂ.૧,૦૦૦ના બદલે રૂ.૧૪પ૦ સુધી ભાવ બોલાઇ રહ્યા છે. આમ છતાં જતી સિઝનમાં પણ મોંઘી કેરી ખાનારો એક ચોક્કસ વર્ગ છે. આ વર્ષે કેરીના પાકને વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ઉત્પાદન ઘટયું છે. તેના કારણે ભાવો સિઝન શરૂ થયાથી શરૂ કરીને પૂરી થવા સુધી ૧૦ કિલોના બોકસ દીઠ રૂ.પ૦૦થી ૭૦૦ એક સરખા રહ્યા છે. ફુલ સિઝનમાં પણ ભાવ ઘટયા નથી ત્યરે શરૂઆતી સિઝનમાં જેમ ભાવ ઊંચા બોલાયા છે તેવી જ રીતે ઊતરતી સિઝનમાં પણ ભાવમાં ઉછાળો આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments