Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર બંધની અસર સુરતમાં, ચક્કાજામ, એસટી બસો અને ટ્રેનો અટકાવાઈ

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (16:21 IST)
પૂણેના ભીમા કોરેગાંવ ઘટનાના પગલે મહારાષ્ટ્ર બંધની અસરના કારણે સુરતથી મહારાષ્ટ્ર જતી 31 બસના રૂટ કેન્સલ કરવામાં આવ્યાં છે. જેથી સુરતમાં પણ પેસેન્જરની હાલત કફોડી થઈ હતી. દરમિયાન ઉધના સ્ટેશન ખાતે લોકો રસ્તા પર ઉતર્યા છે. અને ચક્કાજામની સ્થિતિ ઉદભવી છે. અને ઉધના સ્ટેશન પર બે ટ્રેન પણ અટકાવી દેવામાં આવી હતી. મહારાષ્ટ્ર હિંસાની અસર સુરતમાં જોવા મળી રહી છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અને રેલી રૂપે વિરોધ નોંધાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોએ ઉધનાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન ઉધના સ્ટેશન નજીક ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે.

ઉધના સ્ટેશન પર બે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતથી મુંબઈ, પુણે, અકોલા, શિરડી, પંઢરપુર, ઔરંગાબાદ, ધુળે, અમલનેર, ચોપડા, શિરપુર, માલેગાંવ, ભુસાવળ અને નંદુરબાર જેવી અનેક રૂટની બસો રદ્દ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર જતા મુસાફરો અટવાયા છે. સુરત આવી પહોંચેલી મહારાષ્ટ્રની બસોને માત્ર નવાપુર ગુજરાત બોર્ડર સુધી દોડાવાઈ રહી છે. મહારાષ્ટ્રની કુલ 50 થી વધુ બસોને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. જેથી સુરતની એસટી તંત્ર લાખોનું નુકશાન થયું છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments