Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જાળવી રાખવા ભાજપની કવાયત, ૧૦ બેઠકોનું નુકસાન થવાનો ભાજપને ડર

Webdunia
સોમવાર, 4 જૂન 2018 (12:10 IST)
લોકસભાની ચૂંટણીને આડે હજુ એકાદ વર્ષની વાર છે ત્યારે ગુજરાતમાં ભાજપે અત્યારથી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરુ કરી દીધી છે. રવિવારે કમલમમાં ભાજપના નેતા-સાંસદોએ લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જાળવી રાખવા ચર્ચા કરી હતી. જોકે, પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો, મોંઘવારી સહિત અનેક સમસ્યાથી લોકો રોષે ભરાયેલાં છે ત્યારે કયા મુદ્દે પ્રજા સમક્ષ જવુ તેની મથામણ કરવામાં આવી હતી. આ વખતે વિધાનસભામાં કોંગ્રેસનુ સંખ્યાબળ વધ્યુ છે. આ ઉપરાંત એન્ટીઇન્કમ્બ્સીને પગલે ભાજપને લોકસભાની ચૂંટણીમાં માર પડે તેવી શક્યતા રાજકીય પંડિતો જોઇ રહ્યા છે. આ વખતે ભાજપને ૧૦ બેઠકો ગુમાવવી પડે તેવી ભીતિ સતાવી રહી છે. કમલમમાં મળેલી બેઠકમાં ભાજપના નેતા,સાંસદોની બેઠકમાં એવુ નક્કી કરાયુ હતું કે, મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એનડીએ સરકારની સિધ્ધીઓ પ્રજા સુધી પહોંચાડવી.આ ઉપરાંત રુપાણી સરકારની સફળ યોજનાઓનો પણ ભરપૂર પ્રચાર કરવો. ભાજપને એ ચિંતા પેઠી છેકે, સૌરાષ્ટ્રમાં ભાજપનું ધોવાણ થયુ છે. અત્યારથી રાજકીય પરિસ્થિતી જોતાં દલિતો, પાટીદારો ,ખેડૂતો સરકાર સામે મોરચો માંડીને બેઠા છે. ઘણાં મુદ્દાઓ ઉકેલવમાં મોદી સરકાર-રુપાણી સરકાર નિષ્ફળ નિવડી છે. આ સ્થિતીમાં ભાજપે મનોમંથન શરુ કર્યુ છે. ભાજપના નેતાઓ પણ પૂછતા થયાં છેકે, કયા મુદ્દે લોકો સમક્ષ જવુ જોઇએ. લોકોના પણ શુ પ્રતિભાવ છે તે જાણવુ જોઇઇ. આમ,લોકસભાની બેઠકો જાળવવા કવાયત શરુ કરાઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments