Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતા પોતે દિકરીઓનો કરાવતી હતી બળાત્કાર, પતિને કરી દેતી હતી બેભાન

Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2019 (16:45 IST)
વડોદરા અને રાજકોટમાં ચકચારી બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ હજુ પણ ગુજરાતમાં એકપછી એક બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ફરી નરાધમોએ 12 વર્ષની બાળા પર પાશવી બળાત્કાર ગુજારી પોતાની હવસને સંતોષી છે. આશ્વર્યની વાત તો એ છે કે આ બળાત્કારમાં પીડિતાની માતાએ પણ મદદ કરી હતી.
 
ગુજરાતના ભાવનગરમાં એક 12 વર્ષની કિશોરી સાથે બળાત્કારના કેસમાં 3 નરાધમોની ધરપકડ બાદ મોટો ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર કિશોરીની માતા પણ આ બળાત્કારના કેસમાં સામેલ છે. આ ઘટના પાલિતાણા તાલુકાના ભૂતિયા ગામની છે. શનિવારે આ કેસ સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી.
 
પીડિતાના પિતાએ આરોપ મૂક્યો છે કે, 3 નરાધમો છેલ્લા એક વર્ષથી તેની દીકરીનું શોષણ કરતા હતા. જેમાં તેની પત્ની પણ મદદ કરતી હતી. પીડિતાએ આરોપ મૂક્યો છે કે પિતાના ભોજનમાં કંઇક ભેળસેળ કરતી હતી. જેથી પિતા જમ્યા બાદ તુરંત જ ઊંઘી જતા હતા. બાદમાં તેની સાથે બળાત્કાર કરાતો હતો. પીડિત યુવતીના પિતાએ શાંતિ ધંધૂકિયા, બાબુભાઈ સરતનપરા અને ચંદ્રેશ સરતનપરા સામે ફરિયાદ નોંધાવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments