Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા સામૂહિક દુષ્કર્મ: નરાધમોને લઈ પોલીસ પહોંચી હોસ્પિટલ, જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા

Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2019 (16:41 IST)
વડોદરાના નવલખી મેદાનમાં 15 દિવસ પહેલાં તરુણી ઉપર ‘ગેંગ રેપ’ના બે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૮ કલાકમાં જ વડોદરાથી ઝડપી લીધા છે. તરસાલી વિસ્તારમાંથી કિશન માથાસુરિયા અને જશા સોલંકી નામના બે યુવકને ઝડપી લઈ પ્રાથમિક પૂછપરછ બાદ વડોદરા પોલીસને સોંપી દેવાયા છે. ગત તા. ૨૮ નવેમ્બરે રાતે સાડા આઠ વાગ્યાના અરસામાં તરુણી તેના મિત્ર સાથે નવલખી મેદાનમાં બેઠી હતી. આ સમયે બન્ને આરોપી દંડા લઈને ગયા હતા અને પ્રેમીને ભગાડી દીધા પછી તરુણી ઉપર બે-બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. 
 
વડોદરામાં સામૂહિક દુષ્કર્મના બંને આરોપીઓને પોલીસ તપાસ અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યા બંને આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. તબીબોને પરિક્ષણનાં જે સેમ્પલ લેવાના હતા તે પૈકી એક આરોપીના સેમ્પલ લેવાની પ્રક્રિયામાં તીબબોને નિષ્ફળતા મળી હતી. તીબબો દ્વારા આરોપીઓની તપાસ 6 કલાક ચાલી હતી. અને રાત્રીના 2.30 કલાકે પૂર્ણ થઈ હતી.
 
બળાત્કારના ગુનામાં સંડોવાયેલા બંન્ને આરોપીઓ પૈકી સૌ પ્રથમ કિશન માથા સુરિયાને પોલીસે ઝડપી પાડયો હતો જે વડોદરાની ફુટપાથ પર ખુરશીના ડટ્ટા વેચવાનો ધંધો કરે છે. કિશનની પૂછપરછ દરમિયાન આરોપી જશા સોલંકીનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસની ટીમ ઢળતી સાંજે કિશનને લઇને જશા સોલંકીના ઘરે ગઇ હતી. અને જસાને ઘરમાંથી જ પકડી લીધો હતો. ચૂપચાપ બંન્ને આરોપીઓને લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ તરત જ અમદાવાદ જવા રવાના થઇ ગઇ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments