Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતોને મળશે જમીનનો ૭ ગણો ભાવ, સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત

Webdunia
મંગળવાર, 12 નવેમ્બર 2019 (13:57 IST)
બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તેવા અણસાર જણાયા છે. ઓલપાડ, માંગરોળ તથા કામરેજ તાલુકાના ખેડુતોને જંત્રીનો ભાવ સાત ગણો આપવાનુ રાજય સરકાર દ્વારા નક્કી કરવામા આવતા ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી રહી છે. 13 મી નવેમ્બરના રોજ મહેસુલી મંત્રી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામા આવશે.
 
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટને શરુઆતથી જ ગ્રહણ નડયુ હતુ. સુરત સહિત નવસારી અને મહારાષ્ટ્રના જમીન ગુમાવનારા ખેડૂતોએ વિરોધ દર્શાવી જમીન આપવા ઇન્કાર કરી દીધો હતો. ઓલપાડ, કામરેજ અને માંગરોળના કેટલાક ખેડૂતોએ તો સરવેની કામગીરી પણ અટકાવી દીધી હતી. તેમજ ન્યાય માટે કોર્ટના દ્રાર પણ ખખડાવ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ તાલુકાના ખેડુતોની વાત કરીએ તો ગામોમા જંત્રીનો ભાવ રુ 100 થી પણ ઓછી છે. જેને કારણે ખેડુતોને બજાર ભાવ કરતા ખુબ જ ઓછો ભાવ મળી રહ્યો હતો. જેને કારણે ખેડૂતો સખત વિરોધ નોંધાવી રહ્યા હતા. દરમિયાન 100 રુપિયાથી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કલેકટર ડો. ધવલ પટેલની અધ્યક્ષતામા એક કમિટિની રચના કરવામા આવી હતી. આ કમિટિમા જિલ્લા વિકાસ અધિકારી સભ્ય તરીકે , સુરત સ્ટેમ્પ ડયૂટીના નાય કલેકટરની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરાઇ હતી. આ કમિટિએ ઓપાડ, માગરોળ અને કામરેજમા 100 થી ઓછી જંત્રી ધરાવતા આઠ ગામોમાં સર્વે કર્યો હતો. સર્વે બાદ 100 થી ઓછી જંત્રી ભાવ ધરાવતા ખેડૂતોને પ્રતિ ચોરસ મિટરએ રુ 708 નો ભાવ આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. જેને લઇને ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી હતી. આ અંગે 13મી નવેમ્બરના રોજ મહેસુલી મત્રી સાથે બેઠક મળશે અને ત્યાર બાદ સત્તાવાર જાહેરાત કરાશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments