Webdunia - Bharat's app for daily news and videos

Install App

છરીની અણીએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી ધમકી

Webdunia
શનિવાર, 5 ઑક્ટોબર 2019 (10:27 IST)
જેતપુરમાં રહેતી એક પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. સંદિપ ભરવાડ નામના શખ્સે પરિણીતાના પુત્રના ગળે છરી રાખી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને પરિણીતાએ ગોંડલ સિટી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
 
જેતપુર તાલુકાના દેરડીધારમાં રહેતી પરિણીતાએ ગોંડલ સિટી પોલીસ મથકમાં વોરાકોટડા રોડ વિજયનગર મફતિયાપરામાં રહેતા સુગના અરવિંદભાઈ દેવીપુજક, ચેતના ડાભી અને સંદીપ ભરવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે સુગના અને ચેતનાએ વિશ્વાસમાં લઈ રોકડા રૂપિયા 1,20,000 સોનાના બે જોડી બુટીયા તેમજ 5 ઓમકાર સાચવવા લીધા હતા જે પરત માંગતા મારી રોકડ અને દાગીના ન આપી છેતરપિંડી કરી હતી. તેમજ સંદિપ ભરવાડ નામના શખ્સે પરિણીતાના પુત્રના ગળે છરી રાખી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી આઈપીસી કલમ 376 342 406 420 114 506 114 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments