Webdunia - Bharat's app for daily news and videos

Install App

12થી 14 ડિસેમ્બર ગુજરાત હાઈકોર્ટ અને પરિસરને સેનિટાઈઝ કરાશે, વહીવટી કામ રહેશે બંધ

Webdunia
શનિવાર, 12 ડિસેમ્બર 2020 (14:10 IST)
ગુજરાત હાઇકોર્ટ સેનિટાઇજેશન માટે 12 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ ત્રણેય દિવસ દરમિયાન કોર્ટને તમામ ન્યાયિક અને વહિવટી કાર્યવાહી પૂર્ણરૂપથી બંધ રહેશે. 15 ડિસેમ્બરથી હાઇકોર્ટમાં પહેલાંની માફક કાર્યરત રહેશે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર કોરોનાના વધતા જતા કેસને જોતાં હાઇકોર્ટને 12 થી 14 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ત્રણેય દિવસ દરમિયાન હાઇકોર્ટ પરિસર, પોસ્ટ ઓફિસ, બેંક, જ્યૂડિશિયલી એકેડમી સહિત તમામ જગ્યાઓને સેનિટાઇઝ કરવામાં આવશે.  
 
આગામી 15 ડિસેમ્બર સુધી હાઇકોર્ટના ફિજિકલ ફાઇલિંગ સેન્ટર પણ બંધ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન ઇ-ફાઇલિંગ પોર્ટલ કાર્યરત રહેશે. નવી અરજીઓ પર સુનાવણી 15 ડિસેમ્બરથી કરવામાં આવશે. આ ઉપરાંત 14 ડિસેમ્બરના રોજ તબક્કાવાર કેસોને પણ 15 ડિસેમ્બરની યાદીમાં સામેલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે હાઇકોર્ટના ન્યાયાધીશ જીઆર ઉંધવાણીનું કોરોનાને કારણે મોત થયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments