Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છ જિલ્લાની 234 જેટલી પ્રાથમિક શાળાઓને તાળાં લાગવાની શક્યતાઓ

Webdunia
સોમવાર, 18 નવેમ્બર 2019 (11:57 IST)
ગુજરાત સરકારે રાજ્યમાં 30થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 5350 સરકારી પ્રાથમિક શાળાઓને તાળાં લગાડી નજીકની શાળામાં મર્જ કરવાનું નક્કી કર્યું છે. જો કચ્છ જિલ્લાના લોક પ્રતિનિધિઓ ખાસ કિસ્સામાં કચ્છને બાકાત રાખવાની રજુઆત નહીં કરે તો કચ્છ જિલ્લામાં 234 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓને પણ તાળાં લાગી જશે, જેથી દુરદરાજના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું સ્તર નીચે જશે અને અભણ લોકોની સંખ્યામાં વધારો થતો રહેશે. રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવવા પ્રયાસો થયા બાદ શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધ્યું હતું, જેથી સરકારે સરકારી નોકરીઓમાં શિક્ષણની લાયકાતમાં વધારો અને ઉમેરો કરવાના અખતરા કર્યા હતા, જેમાં શિક્ષણમાં ટેટ, ટાટ જેવી પરીક્ષાઓ પણ દાખલ કરી છે. વળી ટેટ અને ટાટ જેવી લાયકાતને પણ સમય મર્યાદા બાંધી લીધી છે. જોકે, શિક્ષિત બેરોજગારોએ વિશેષ લાયકાતો પણ મેળવી લીધી છે, જેથી શિક્ષણ ક્ષેત્રે પણ બેરોજગારીનું પણ વધ્યું છે. બીજી બાજું સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ પ્રવર્તી રહી છે, જેથી હવે સરકારે 30 વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને તાળાં મારી શિક્ષકોની ભરતીથી બચવા હવાતિયા મારવાનું શરૂ કરી દીધું છે, જેમાં કચ્છ જેવા વિશાળા જિલ્લાનો પણ ભોગ લેવાઈ જાય એવી શક્યતા છે. જો, લોક પ્રતિનિધિઓ વેળાસર નહીં જાગે તો કચ્છની 1706 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 234 સરકારી પ્રાથમિક શાળાને તાળા લાગી જશે અને નજીકની શાળામાં મર્જ કરી દેવાશે. એ સ્થિતિમાં વાહન વ્યવહારના અભાવે ગરીબ પરિવારના લોકો બાળકોને શાળાએ મોકલવાનું જ બંધ કરી દેશે, જેથી શિક્ષણનું સ્તર ઊંચે આવવાને બદલે નીચું જશે અને કચ્છમાં અભણ લોકો વધી જશે. અભણ લોકો વધશે એટલે અભણ બેરોજગારોનું પ્રમાણ વધશે, જેથી સરકાર ફરી શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના નાટક કરશે. જે નાટકમાં કેટલાય યુવાનોના જીવન અંધકારમાં ધકેલાઈ જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments