Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છના નાના રણમાં ૧૧૦ નદીના પાણીનો સંગ્રહ થશે

Webdunia
સોમવાર, 29 જુલાઈ 2019 (12:50 IST)
સૌરાષ્ટ્ર-કચ્છના લોકો અને ખેડૂતોને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રણમાં એશિયાના સૌથી વિશાળ મીઠા પાણીના સરોવરની કલ્પના સાકાર થવાના સંકેતો મળ્યા છે. દિલ્હીમાં આ રણ સરોવર માટે બનાવાયેલી કમીટીએ તૈયાર કરેલા રીપોર્ટના આધારે આગામી દિવસોમાં વોટર રિસોર્સ મીનીસ્ટરી અને પીએમઓ વિભાગ વચ્ચે બેઠક પણ યોજાવામાં આવશે. કચ્છના નાના રણમાં આશરે ૫૦૦૦ ચોરસ કિ.મીનો વેરાન વિસ્તાર સપાટ અને કાળી માટીનું પ્રમાણ વિપુલ માત્રામાં છે. અને ચોમાસા દરમિયાન તો આશરે ૩૦૦૦ ચોરસ કિ.મી. વિસ્તારમાં કુદરતી રીતે જ વરસાદી પાણી ભરાઇ જાય છે. જો સામાખિયાળી પુલના નાળા બંધ કરી દેવામાં આવે તો સમુદ્રના ખારા પાણીને રણમાં આવતા અટકાવી શકાય છે. 
દર વર્ષે ચોમાસા દરમિયાન કચ્છના નાના રણમાં આશરે ૫૦૦૦ ચોરસ કિ.મીનો વેરાન વિસ્તારમાં છેક રાજસ્થાન, પાલનપુર, બનાસકાંઠા, ભાભોર મહેસાણા, સિધ્ધપુર,પાટણ અને શંખેશ્ર્વર સહિતના જિલ્લાઓની બનાસ, રૂપેણ સહિતની નાની મોટી થઇને ૧૧૦ જેટલી નદીઓના મીઠા પાણીનો વેરાન રણ પ્રદેશમાં આઠથી દશ ફૂટ ઊંડાઇમાં પણ જો સંગ્રહ કરવામાં આવે તો રણ સરોવરમાં કુદરતી રીતે આશરે નર્મદા ડેમ જેટલુ પાણી કુદરતી રીતે જ ઉપલબ્ધ થઇ શકે એમ છે. આ પ્રોજેક્ટ પર વિશેષ રસ દાખવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી અલગ-અલગ ૧૮ વિભાગોની એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી દ્વારા કુલ ૧૬ જેટલા મુદાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. 
જે બાદ દિલ્હીના સેન્ટર વોટર કમિશન ખાતે યોજાયેલી મેરોથોન મીટિંગમાં વિવિધ વિભાગોના ડિરેક્ટરો, ચેરમેનો સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ મીટિંગના અંતે એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટને લઇને પ્રિન્સિપાલ સેક્રેટરી વોટર રીસોર્સ અને જળશક્તિ મીનીસ્ટરી તેમજ પીએમઓ ઓફિસ વચ્ચે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજાવાની છે. જેમાં રણમાં મીઠા સરોવરનો નિર્ણય લેવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments