Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ કોંગ્રેસ સામે કોળી સમાજ ખફા, કુંવરજી બાવળિયા-પરષોતમ સોલંકી શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (11:43 IST)
મંત્રી પરષોત્તમ સોલંકીને સારૃ ખાતુ ન અપાતાં કોળી સમાજ ભાજપથી ખફા છે તો,કુંવરજી બાવળિયાને વિધાનસભા વિપક્ષના નેતાનું પદ ન અપાતા કોળી કોંગ્રેસથીય નારાજ છે. રાજકીય અન્યાય થતાં બાવળિયા અને પરસોત્તમ સોલંકી સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. અખિલ ભારતીય કોળી સમાજ વતી રાહુલ ગાંધીને પત્ર લખાયો છેકે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે જેમાં કોળી આગેવાન કુંવરજી બાવળિયાની મહત્વની ભૂમિકા રહી છે. હવે જયારે ચૂંટણી પતી છે ત્યારે કોંગ્રેસ સંગઠનમાં તો સ્થાન આપ્યુ નથી પણ બાવળિયાને વિપક્ષીનેતા ય બનાવાયાં નથી જેના લીધે કોળી સમાજમાં ભારે રોષ છે.

કોળી સમાજે વિપક્ષીનેતા માટે ફેરવિચારણા કરવા માંગ કરી છે. આ જ પ્રમાણે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખી એવી માંગ કરવામાં આવી છેકે, પરસોત્તમ સોલંકીને હજુય પ્રમોટ કરાયાં નથી. સારૃ ખાતુ ન આપીને કોળીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. પરષોતમ સોલંકીને સારા ખાતા આપી કેબિનેટ મંત્રી બનાવવા જોઇએ.આ ઉપરાંત ઓલપાડના કોળી ધારાસભ્ય મુકેશ પટેલ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલને પણ મંત્રીમંડળમાં સમાવવા જોઇએ. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાએ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું કે, એકાદ બે દિવસમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો મંત્રી પરષોતમ સોલંકી સાથે બેઠક યોજી આગળની રણનીતી નક્કી કરશે. રાજકીય પક્ષો કોળીઓનો માત્ર રાજકીય ઉપયોગ ન કરે,તેમનુ સન્માન પણ કરે. પ્રથમ તબક્કામાં કોળી ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારબાદ જાન્યુઆરીના અંતમાં કુંવરજી બાવળિયા અને પરષોતમ સોલંકી અલગ અલગ સંમેલન યોજીને શક્તિ પ્રદર્શન કરશે. આમ, કોળી હવે ભાજપ-કોંગ્રેસને રાજકીય તાકાત દેખાડવાના મૂડમાં છે જેથી આગામી દિવસોમાં ફરી ગુજરાતનુ રાજકારણ ગરમાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments