Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રવાસીઓ હવે કેવડિયાથી મધ્યપ્રદેશના રાજઘાટ સુઘી કૃઝમાં સફર કરી શકશે

Webdunia
શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (15:26 IST)
મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટથી કેવડિયા સુધી ક્રૂઝ ચાલશે. આ પ્રવાસનું પેકેજ 3 દિવસ 2 રાત્રિનું રહેશે. આ રૂટમાં આવતા ગામોમાં પણ પ્રવાસીઓને મુલાકાતે લઈ જવામાં આવશે. અંદાજે 6 થી 8 મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર લોકો માટે ક્રૂઝની આ સફર રોમાંચક બનશે.ભાસ્કરની ટીમે બોટ મારફતે નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર કરી હતી. પ્રોજેક્ટના કમાન્ડર રાજેન્દ્ર નિગમે જણાવ્યું હતું કે, પ્રવાસ 3 દિવસ અને 2 રાત્રિનો રહેશે. ક્રુઝમાં છ રૂમ હશે અને 24 લોકો મુસાફરી કરી શકશે. તેમાં મનોરંજન હોલ, આદિવાસી નૃત્ય, લંચ-ડિનરની સુવિધા હશે. બડવાણીથી રાજઘાટ કાર મારફતે ગયા. બોટને રસ્તા નજીક મંગાવી તેમાં બેઠા. લગભગ અડધો કિમી સુધી ગયા પછી બોટના ચાલકે કહ્યું કે, હવે આ મુખ્ય નદી આવી. બંને બાજુ નજરે પડતા ગામો પણ હવે અદ્રશ્ય થઈ ગયા હતા. સતત 100 કિમી સુધી ચાલ્યા પણ ક્યાંય કિનારો મળ્યો નહોતો, ન તો કોઈ ખાવાની વસ્તુ મળી, ન મોબાઈલ નેટવર્ક મળ્યું ન તો લાઈટ દેખાઈ. માત્ર બેટરીની લાઈટના સહારે માછીમારી માટે જાળ નાંખી રહેલા સ્થાનિક લોકો નજરે પડ્યા હતા. આ માર્ગ પર 100 થી વધુ ટાપુઓ અને પાંચ મુખ્ય વળાંક છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા પર હોબાળો, કોંગ્રેસીઓ રસ્તા પર ઉતરી આવ્યા

'તિરુમાલા પ્રસાદમાં જાનવરોની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપોએ ખળભળાટ મચાવ્યો

મુઝફ્ફરપુરમાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, ખળભળાટ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

આગળનો લેખ
Show comments