Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકાર ચોર છે તેમણે દુકાનદારોને ચોરી કરવા મજબૂર કર્યા - પ્રહલાદ મોદી

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (17:14 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી આજે રાજકોટ આવ્યા હતા અને રાશન વિક્રેતાઓએ તેમને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટરને રજૂઆત કરી હતી.  ઢીંગલી’ નામથી ઓળખાતા સોફ્ટવેર દ્વારા રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ થયું હોવાની આશંકાએ હાલ વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 
 
પ્રહલાદ મોદીએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં મીડિયાને જણાવ્યું હતું કે - સસ્તા અનાજવાળા ચોર નથી ! ચોર સરકાર છે, જેણે દુકાનદારોને ચોરી કરવા મજબૂર કર્યા છે. સરકાર 370 હટાવી શકે તો દેશના 5 લાખ રેશનિંગના દુકાનદારોની માગણી પૂરી ન કરી શકે ? વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમને ગોડાઉનમાંથી નિયમિત માલ મળતો નથી. માટે અમે આજે કલેકટરને વિવિધ રજૂઆત કરી હતી, જેમાં દુકાનદારોને પોષણક્ષમ ભાવો મળે, કમિશનમાં વધારો, સર્વર વારંવાર ખોટકાઈ જવું તથા સોફટવેરકૌભાંડમાં તપાસ પૂરી થઇ છે, તો હવે દુકાનદારોને ખોટી રીતે કનડગત નહિ કરવા અંગેનું આવેદનપત્ર પાઠવ્યું છે
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર સસ્તા અનાજના દુકાનદારને દબાવવાના પ્રયત્નો કરી રહી છે. દુકાનદારોએ કોઇ ગેરરીતિ આચરી નથી. બાયોમેટ્રિક સિસ્ટમ સર્વર આધારિત છે અને ગુજરાતનું સર્વર પોલિયોગ્રસ્ત છે, જેથી ફરજિયાત ઓફલાઇન વેચાણ કરવું પડે છે. દુકાનદારો ઓફલાઇન વેચાણ કરે એટલે સરકાર તપાસ કરે છે. સસ્તા અનાજના દુકાનદારોને કર્મચારી તરીકે ગણીને તેને પગારદાર બનાવવા જોઇએ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments