Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021 ની લીગ મેચ મુંબઈ, પ્લેઓફ મુકાબલો અમદાવાદમાં થશે

Webdunia
શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (15:08 IST)
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની હરાજીના સમાપન પછી હવે સવાલ એ છે કે શું આ વખતે ટૂર્નામેન્ટ ભારતમાં થશે કે વિદેશમાં? દરમિયાન, એવા અહેવાલો છે કે આ વખતે ભારતમાં આઈપીએલ રમી શકાય છે અને તેના લીગ રાઉન્ડ્સ મુંબઇ અને અમદાવાદમાં નોકઆઉટ મેચ યોજવામાં આવી શકે છે. 
 
ઈએસપીએનક્રિકઈંફોની રિપોર્ટ મુજબ દિલ્હી કેપિટલના માલિક પાર્થ જિંદલે ગુરુવારે થયેલ ઓક્શનમાં આ સંકેતો આપ્યા હતા. પાર્થ જિંદલે કહ્યું કે, 'હું જે જોઇ રહ્યો છું અને જે સાંભળી રહ્યો છું તે તે છે કે જો ઈંગ્લેંડ ભારત પ્રવાસ પર આવી શકે છે. જો આઇએસએલની તમામ મેચ ગોવામાં યોજાઈ શકે છે, જો વિજય હજારે અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી તમામ શહેરોમાં યોજાઈ શકે, તો આઈપીએલ વિદેશમાં હોવાનો સવાલ જ ઉભો થતો નથી. મને લાગે છે કે આ વખતે આઈપીએલ ફક્ત ભારતમાં જ હશે.
 
લીગ સ્ટેજ મુંબઈ, નૉકઆઉટ અમદાવાદમાં થશે ? 
 
પાર્થ જિંદાલે વધુમાં કહ્યું કે, 'એવું લાગે છે કે લીગ સ્ટેજ એક વેન્યુ પર યોજાશે અને પ્લેઓફ  બીજા સ્થાને યોજાશે. જાણવા મળ્યુ છે કે મુંબઈમાં લીગ મેચ યોજાઈ શકે છે કારણ કે ત્યાં ત્રણ મેદાન છે, ત્યાં પ્રેક્ટિસની પૂરતી સુવિધા પણ છે. આ પછી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે નોકઆઉટ મેચનું આયોજન કરી શકાય છે.
 
મુંબઈમાં લીગ સ્ટેજ થશે તો દિલ્હી કૈપિટલ્સને થશે ફાયદો ? 
 
દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદલે એમ પણ કહ્યું હતું કે, જો લીગની તમામ મેચ મુંબઈમાં થાય છે, તો દિલ્હી કેપિટલ્સને મોટો ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી ટીમમાં મુંબઇના ઘણા ખેલાડીઓ છે. કેપ્ટન શ્રેયસ ઐયર, પૃથ્વી શો, અજિંક્ય રહાણે બધાએ મુંબઈમાં ક્રિકેટ રમી છે. આ ઉપરાંત પાર્થ જિંદલે એમ પણ કહ્યું હતું કે સ્ટીવ સ્મિથની બેટિંગ મુંબઈની વિકેટ પર અદ્દભૂત સાબિત થઈ શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments