Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્રકારને ધમકી આપનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રનું ઉમેદવારી પત્ર રદ

Webdunia
સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (18:04 IST)
વડોદરાના જિલ્લા પંચાયતમાં રિટર્નિંગ ઓફિસ પર વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવ વિરૂદ્દહ એક વાંધા અરજીની સુનાવણી દરમિયાન બર્બરતા આચરવામાં આવી હતી. દીપક શ્રીવાસ્તવના સમર્થનમાં તોડફોડનો આરોપ લગાવ્યો છે. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર દીપક શ્રીવાસ્તવનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 15થી ભાજપના ઉમેદવાર આશીષ જોશીએ વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ પર આપત્તિ વ્યક્ત કરી છે. 
 
દીપક શ્રીવાસ્તવએ ઉમેદવારી પત્ર દરમિયાન સોગંધાનામામાં બે બાળકોનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમના તેમના ત્રણ બાળકો છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવની વડોદરા જિલ્લાની વાઘોડીયા સીટ પરથી ભાજપે તેમને ટિકીટ ન આપવા માટે મનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દીપક શ્રીવાસ્તવએ એક ન સાંભળી. ત્યારબાદ દીપક શ્રીવાસ્તવએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું. વોર્ડ નંબર 15થી ભાજપ્ના ઉમેદવાર આશીષ જોશીએ જણાવ્યું કે સોગંધનામાં ખોટું બોલ્યા હતા. તેમની ઉમેદવારી રદ કરવી જોઇએ. 
 
ગુજરાતના વાઘોડીયાથી ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એકવાર ફરી વિવાદમાં છે. તેમને પ્રશ્ન પૂછ્તાં મીડિયાકર્મીને ઠોકવાની એટલે કે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે મીડિયાકર્મીની સાથે આવો વ્યવહાર કર્યો હોય અને આ પહેલાં પણ તેમણે મીડિયા કર્મીઓએ ધમકી આપી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 
 
જોકે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવવાની છે. ભાજપે મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક વાસ્તવને ટિકીટ આપવાની ના પાડી દીધી છે. જેથી તેમના પુત્રને અપક્ષ ઉમેદવાર તરીકે લડાવવાનો નિર્ણય કર્યો છે. આ વખતે તેમના પુત્ર સામે તેમની જ પાર્ટી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં છે. આ મુદ્દે મીડિયાકર્મીઓએ મધુ શ્રીવાસ્તવને સવાલ કર્યો તો જવાબ આપવાના બદલે તે સીધા મીડિયાકર્મીઓ પર ગુસ્સે થયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments