Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેતાવણી - રાજ્યમાંથી રોજ 9 બાળક થાય છે ગુમ, સૌથી વધુ સુરતના બાળકો થાય છે ગુમ

Webdunia
મંગળવાર, 29 માર્ચ 2022 (14:47 IST)
રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 10 હજાર 92 બાળકો ગુમ થયાં હતાં, જે પૈકી 9085 બાળક પરત મળી આવ્યાં હતાં. હજી 1007 બાળકનો આજદિન સુધી કોઈ જ પત્તો નથી. રાજ્યમાં રોજ 9 બાળક ગુમ થાય છે, 3 વર્ષમાં 10 હજાર બાળક ગુમ થયાં, એક વર્ષમાં સૌથી વધુ સુરતમાં 629 બાળક ગુમ થયાં છે. સરકારનું કહેવું છે કે બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે ગુમ થયેલાં બાળકોની માહિતી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના લેખિતમાં વર્ષ 2019થી 2021 સુધીના આ આંકડા રાજ્ય સરકારે આપ્યા છે. 
 
રાજ્યમાં કયા શહેરમાં કેટલા બાળકો થયા ગુમ 
 
વર્ષ 2021માં સુરત શહેરમાં 629, અમદાવાદ શહેરમાં 338 અને ત્યાર બાદ ગાંધીનગરમાં 142 બાળક ગુમ થયાં હતાં. આ જ અરસામાં સુરતમાંથી 506, અમદાવાદ શહેરમાં 293 અને ગાંધીનગરમાં 117 બાળક પરત મળ્યાં હતાં. વડોદરા શહેરમાં 104, મહેસાણા જિલ્લામાં 123, બનાસકાંઠામાં 104, ખેડા જિલ્લામાં 121, દાહોદ જિલ્લામાં 132, ભરૂચ જિલ્લામાં 131 બાળકો ગુમ થયાં હતાં.
 
બાળકોને શોધવા માટે અલગ ટીમ 
 
સરકારનું કહેવું છે કે બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે. ચિલ્ડ્ર્ન હોમમાં નિયમિત તપાસ કરાય છે. મિસિંગ સેલ અને સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. બાળકોને શોધી કાઢવા માટે અવારનવાર ઉપરી અધિકારી દ્વારા આદેશો કરવામાં આવે છે. આમ, તંત્ર દ્વારા ગુમ થયેલાં બાળકો પરત મળી આવે એ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવતાં હોવાનું કહેવાય છે. મોટા ભાગના કિસ્સામાં બાળકો પરત મળી આવતાં હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments