Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં પોલીસે ટોર્ચર કરતા શ્રમજીવી આધેડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

Webdunia
ગુરુવાર, 7 માર્ચ 2024 (15:30 IST)
સુરતમાં રૂપિયા 50 હજારની ઉઘરાણી માટે પોલીસે ટોર્ચર કરતા શ્રમજીવી આધેડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આધેડે પરિચીત વ્યક્તિ પાસેથી 50 હજાર ઉછીના લીધા હતા. જે પરત આપવા માટે PSI એ.એ.આહીર દ્વારા ત્રણ દિવસથી ટોર્ચર કરવામાં આવતા હોવાનો આધેડે એક ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. પાલ રોડ સુમન છાયા ખાતે રહેતા 51 વર્ષીય કિશોરભાઈ મનસુખભાઈ ગોહીલ સુથારી કામ કરી ગુજરાન ચલાવતા હતા. તેમનો પુત્ર અને પુત્રી નોકરી પર ગયા હતા અને તેઓ તેમની પત્નીને પિયરમાં મુકી આવ્યા હતા. ત્યાર બાદ તેમણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 
 
કિશોરભાઈએ બુધવારે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. તેમનો પુત્ર ઘરે આવતાં પિતાની સ્થિતિ જોઈને ચોંકી ગયો હતો. આ બનાવની જાણ તેણે પરિવારને કરી હતી. ત્યાર બાદ પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન કિશોરભાઈએ લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં પોલીસ અધિકારી એ. એ. આહીરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 
 
મૃતક આધેડે અંતિમ ચિઠ્ઠીમાં લખ્યુ છે કે, પ્રિય લતા, મયુર, ક્રિષ્ના, હું તમને છોડીને જઉ છું. તમે મને માફ કરી દેજો. કારણ કે, મને ટેન્શન એટલું વધી ગયુ છે અને એક પોલીસ ઇન્સપેક્ટર, વેડરોડ, હરિઓમ મિલ પાસે પોલીસ ચોકી, કોલ કરીને મને છેલ્લા ત્રણથી ચાર દિવસથી ટોર્ચર કરે છે. જેનું નામ છે એ. એ. આહીર. દરેક સગા સંબંધીઓને મારા સાદર પ્રણામ મારાથી ભુલચૂક થઇ હોય તો મને માફ કરી દેજો. મે વિનયભાઈ પાસેથી 50 હજાર રૂપિયા લીધા હતા તેમણે પોલીસને કહ્યું હતું જેથી તે મને ટોર્ચર કરતા હતા. જે પીએસઆઈ મારી લાશની તપાસ કરે તેમને જણાવવાનું કે બીજા કોઈને આ રીતે ટોર્ચર કરીને મજબુરીનો લાભ ન ઉઠાવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments