Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat violence- ગુજરાતમાં રામનવમીના દિવસે બે શહેરોમાં કોમી અથડામણ, પોલીસે ટીયરગેસ છોડ્યા, એકનું મોત

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (13:20 IST)
ગુજરાતના હિમતનગર, દ્વારકા અને ખંભાત શહેરમાં રવિવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન કોમી અથડામણ થઈ હતી. આ કોમી અથડામણ બે સમુદાયો વચ્ચે થઈ હતી. આ અથડામણ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો, આ સિવાય મોટી સંખ્યામાં દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું. તેમને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ બનાવોમાં પાંચથી વધુ પોલીસ જવાનો સહિત 15થી વધુ લોકોને ઈજા પહોંચી છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ તોફાનીઓને પકડવાની કવાયત હાથ ધરી છે.
 
અધિકારીએ શું કહ્યું
બે સમુદાયો વચ્ચેની અથડામણ પછી, અધિકારીઓએ કહ્યું કે ઘાયલોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં બપોરે રામનવમીની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં બે સમુદાયના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. "પોલીસને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ પછી, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે શહેરની બહારથી વધારાની પોલીસ દળને બોલાવવામાં આવી હતી," અધિકારીઓએ જણાવ્યું હતું.
 
 
શા માટે થયો વિવાદ
રામનવમી નિમિત્તે ખંભાત શહેરના શક્કરપુર વિસ્તાર સ્થિત રામજી મંદિરથી  રવિવારે સાંજે ચાર વાગ્યે પગપાળા ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ત્રણ હજારથી વધુ ભક્તો જોડાયા હતા. શક્કરપુર વિસ્તારથી નીકળીને યાત્રા થોડે જ દૂર પહોંચી એ વખતે  બાવળના ખેતરો અને અવાવરૂ જગ્યાએથી અચાનક કેટલાંક તોફાનીઓએ શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તેથી શોભાયાત્રામાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી હતી. જોતજોતામાં ટોળાંએ સામસામે પથ્થરમારો શરૂ કર્યો હતો.
 
કંટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી. જેમાં બે જૂથોએ પથ્થરમારો કરી દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ભગવાન રામના જન્મદિવસ તરીકે ઉજવાતા રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments