સ્પર્ધાત્મક પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સામાન્ય જ્ઞાન વિષય સામેલ કર્યો છે. આ અંગેની જાણકારી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જિતુ વઘાણીએ ટ્વિટર કરીને આપી છે.