Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓનર કિલિંગ - અમદાવાદમાં પિતરાઈ ભાઈએ બહેનના પ્રેમીને મારવા સોપારી આપી, ઢોરમાર મારતાં યુવકનું મોત

Webdunia
મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (12:47 IST)
ગુજરાતની બહાર અનેક ઓનર કિલિંગના મામલા સામે આવતા હોય છે. આવો જ એક મામલો અમદાવાદ શહેરમાં સામે આવે છે, જેમાં 31 ડિસેમ્બરની રાતે એક યુવકને કેટલાક યુવકોએ ભેગા મળીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સામે આવતાં પોલીસે તપાસ હાથ ધરતાં એક પછી એક રાજ ખૂલવા માંડ્યા હતા, જેમાં યુવતીના પિતરાઈ ભાઈને તેના પ્રેમપ્રકરણની જાણ થતાં પ્રેમીને સબક શિખવાડવા માર મારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 50 હજારમાં પ્રેમી યુવકને માર મારવાની સોપારી આપવામાં આવી હતી.

એમાં યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તે મોતને ઘાટ ઊતરી ગયો. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.ચાણક્યપુરીમાં રહેતા પ્રકાશભાઈનો નાનો ભાઈ રાજેન્દ્ર નવલ પંદરેક દિવસ પહેલાં તેના વતનથી અમદાવાદ આવ્યો હતો. રવિવારે સાયન્સસિટીથી હેબતપુર રોડ તરફ જતા બ્રિજ પાસે જઈ તપાસ કરતા રેલવે પાટાથી નજીક પથ્થર પાસે રાજેન્દ્રનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે અજાણ્યા ત્રણ શખસે રાજેન્દ્રને મારમારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એ અંગેના 1.52 મિનિટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. એમાં વિજય ઉર્ફે બંટી ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવીણ ઉર્ફે અક્કલ પુરબિયા માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.આ મામલે મૃતકના મોટા ભાઈ પ્રકાશે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રેમપ્રકરણમાં વિજય ભરવાડને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. એમાં યુવકને વધુ માર માર્યો હોવાથી તેનું મોત નીપજ્યું હતું.મારામારીના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આ સોપારી ખાલી માર મારવા માટેની હતી, પરંતુ વધુપડતો યુવકને માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. એ બાદ સમગ્ર મામલો હત્યામાં ફેરવાઈ ગયો છે, જેથી પોલીસે તમામની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments