Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્મેટ મુદ્દે સરકારનો યુ ટર્ન: હવે પાછળ બેસનાર વ્યક્તિએ પણ પહેરવું પડશે હેલ્મેટ

Webdunia
શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (10:53 IST)
ગુજરાત સરકારે હેલ્મેટ મરજિયાત કરવાની જાહેરાતને ગુરૂવારે ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે અને હેલ્મેટ ફરજીયાત પહેરવાનો આદેશ કર્યો છે. અગાઉ હેલ્મેટ મરજિયાત કરવાની જાહેરાતને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઇકોર્ટે સરકારને એફિડેવિટ કરવા આદેશ કર્યો હતો.
 
આજે ગુજરાત હાઇકોર્ટેમાં સરકારે રજુ કરેલા એફીડેવિટમાં રજૂઆત કરી છે કે રાજ્ય સરકાર હેલ્મેટ પહેરવાનો મરજિયાત કરતો કોઈ પરિપત્ર જાહેર કરાયુ નથી. તેમજ સરકાર દ્વારા હેલ્મેટ મરજિયાત કરાયાની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જો કે અગાઉ આ મામલે હાઈકોર્ટમાં ગુજરાત સરકારે હેલ્મેટને લઈ યુ ટર્નનું વલણ અપનાવ્યું હતું.  
 
અરજદારે ટ્રાન્સપોર્ટ સચિવનું એક જાહરેનામું કોર્ટ સમક્ષ રજુ કર્યું છે અરજદારની રજૂઆત હતી કે સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ 2019ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શેહરી વિસ્તારમાં હેલમેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન 129 મુજબ હેલમેટ ફરજિયાત છે, પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એ કાયદાને હાલ મરજિયાત કરવામાં આવ્યો છે. 
 
સેન્ટ્રલ મોટર વ્હિકલ એકટ 1988 સેક્શન 129 મુજબ ટુ વ્હિલ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજીયાત હેલ્મેટ પહેરવાનું હોય છે. જેમાંથી 4 વર્ષ સુધીના બાળકો અને સીખ સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.
 
 
અરજદારે વધુમાં રજૂઆત કરી હતી કે સરકારના આકડા મુજબ વર્ષ 2018માં ભારતમાં 43614 જેટલા લોકોનું હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પેહારવાથી મોત થયું છે. જયારે આ આકડો વર્ષ 2016માં 35975 હતો. એટલે 2 વર્ષમાં 9.10% મૃત્યુઆંક વધી ગયો છે. જો કે અરજદારની રજૂઆત બાદ સરકારી વકીલ તરફ થી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે સરકારે હેલ્મેટ મરજીયાત મામલે કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી અને હજુ પણ ગુજરાતમાં હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજીયાત છે અને આજે કોર્ટે પણ હેલ્મેટ ફરજીયાત પહેરવાનો આદેશ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments