Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં યુથ કિલર બની રહેલો હાર્ટ એટેક, બે દિવસમાં 21 લોકોના મોત

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2023 (13:36 IST)
ગુજરાતીઓ માટે હાર્ટએટેક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. નવરાત્રિના મહોત્સવ સમયે જ હાર્ટ એટેકના કેસ વધી રહ્યાં છે. છેલ્લા 2 દિવસમાં જ હાર્ટ એટેકથી 21 લોકોનાં મોત થયા છે. ઈમરજન્સી સેવા 108માં પણ હૃદયની સમસ્યાની ફરિયાદના કોલ વધ્યા છે.

ગુજરાતમાં ગરબા રમી રહેલા લોકોએ 1100થી વધારે ઈમરજન્સી કોલ કર્યા છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાઈ રહ્યાં છે.  ત્યારે આજે સવારથી લઈને અત્યાર સુધી ત્રણ લોકોના હાર્ટએટેકથી જીવ ગયા છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગનું તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. આજે ત્રણ લોકોને છાતીમા દુખાવો ઉપડતા મોત થયા છે.

ગુજરાતમાં નવરાત્રીના 6 દિવસમાં ગરબે રમતાં 1100 લોકોને તકલીફ થઈ હતી અને તેમણે 108 પર ઘણા ઈમરજન્સી કોલ આવ્યાં હતા. ગીર સોમનાથના તાલાળામાં હાર્ટ એટેકથી બે લોકોના મૃત્યુ થયા છે. તાલાળાના રહીશ જેબુનબેન અહમદભાઈ સવારે 10 વાગ્યે હિરણ નદીમાં કપડાં ધોવા ગયા હતા ને અચાનક જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. જ્યારે તાલાલા તાલુકાના ગાભા ગામના નવયુવાન નિકુંજ પરમાર નું તેમના ઘરે જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં હાર્ટ એટેકથી બે લોકોના મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં ચિંતા પ્રસરી છે.સાબરકાંઠાના ઇડરના સાબલવાડ કંપામાં 42 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે.

ગત રાત્રીના સમયે ખેડૂત ભરતભાઈ પટેલ ઘરમાં ઢળી પડ્યા હતા. તેમને છાતીના ભાગે રાત્રિ દરમ્યાન છાતીના ભાગે અસહ્ય દુખાવો થતાં અચાનક ઢળી પડ્યા હતા. તેમને સારવાર માટે લઈ જવાતા તબીબે તેમને યુવાન ખેડૂતને મૃત જાહેર કરતા પરિવારના માથે આભ તુટી પડ્યું. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ નાની ઉંમર માં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. સાબરકાંઠામા એક સપ્તાહમાં હાર્ટ એટેકનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ અને ઇડર તાલુકામાં હાર્ટએટેકથી મોતના બનાવ બન્યા છે.

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ બનવાના કારણે લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાયા છે. 2 દિવસમાં 10થી વધારે હાર્ટ અટેકથી મૃત્યુ થયા છે. પ્રથમ 7 નોરતામાં સાંજે 6થી રાત્રે 2 દરમિયાન કેસ વધ્યા છે. આમ, અમદાવાદમાં સૌથી વધુ કુલ 166 કેસ નોંધાયા છે.હૃદયની ઈમરજન્સીના કેસ મામલે અમદાવાદ મોખરે છે. સુરતમાં સરેરાશ 8 કેસ, રાજકોટમાં 6 કેસ નોંધાયા છે. વડોદરામાં સરેરાશ 4 જેટલાં કેસ નોંધાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments