Webdunia - Bharat's app for daily news and videos

Install App

Haryana: લખીમપુર ખીરી બાદ હવે અંબાલામાં પણ હંગામો, BJP સાંસદ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત પર ગાડી ચઢાવવાનો આરોપ

Webdunia
ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (17:20 IST)
લખીમપુર ખીરીનો વિવાદ થંભે એ પહેલા જ હરિયાણાના અંબાલાથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. બીજેપીના નેતાઓનો વિરોધ કરવા પહોંચેલા ખેડૂત પર કાર ચડાવી દેવામાં આવી હતી. જેમા ખેડૂત ઘાયલ થયો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નાયબ સૈનીના કાફલાએ અંબાલામાં વિરોધ કરી રહેલા ખેડૂત પર ગાડી ચઢાવી છે. 
 
અંબાલાના નારાયણગઢની આ ઘટનાને લઈને કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું કે, શું ભાજપાના લોકો ગાંડા થઈ ગયા છે ? કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નાયબ સૈનીના કાફલાએ અંબાલાના નારાયણગઢમાં વિરોધ કરી રહેલા ખેડૂત પર ગાડી ચઢાવી દીધી. 

<

क्या भाजपाई पागल हो चुके है?

कुरुक्षेत्र से BJP सांसद नायब सैनी के क़ाफ़िले ने अंबाला के नारायणगढ़ में विरोध कर रहे किसान पर चढ़ाई गाड़ी, गंभीर हालत में अस्पताल में कराया गया भर्ती । pic.twitter.com/VuyUSfyxYw

— Srinivas BV (@srinivasiyc) October 7, 2021 >

મળતી માહિતી મુજબ રમત મંત્રી સંદીપ સિંહ અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની આજે નારાયણગઢમાં એક સન્માન સમારોહમાં પહોંચવાના હતા. આ અંગે ખેડૂતોને જાણ થતાં જ ખેડૂતો વિરોધ કરવા માટે ખુદ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
 
સવારે લગભગ 11.15 વાગ્યે, ભવન પ્રીત સિંહ નામના ખેડૂતે ડીસીપીને ફરિયાદ કરી કે તેમના પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે આ વાહન સાંસદ નાયબ સૈનીના કાફલાનું હતું. અત્યાર સુધી પોલીસે કોઈ કેસ નોંધ્યો નથી. કાફલાની છેલ્લી કાર પર ખેડૂતને ટક્કર મારવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ખેડૂતને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments