Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હાર્દિક પટેલની આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ

Webdunia
ગુરુવાર, 19 મે 2022 (09:31 IST)
પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. જોકે રાજીનામું આપવા સમયે તેની પંજાબના ચંદીગઢમાં હાજરી હતી અને આ હાજરી ઘણી સૂચક માનવામાં આવે છે. હાર્દિકે રાજીનામું આપતાં પહેલાં રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીને મળવાનો સમય ન મળતાં રાજીનામું ધરી દીધું હતું. એટલું જ નહીં, આજે હાર્દિક પટેલ મોટો ધડાકો કરશે, સવારે 11 વાગે અમદાવાદમાં પત્રકાર પરિષદનું આયોજન છે. જ્યાં તેમનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ શકે છે.
 
ભાજપ પ્રવેશની અટકળોથી રાજકીય ગતિવિધિઓ તેજ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તે સમયે જ હાર્દિક પટેલના રાજીનમા બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. હાર્દિકના ભાજપ પ્રવેશ અંગે ચાલી રહેલી અટકળો અને ગુજરાત ભાજપની ગતિવિધિઓ બાદ હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ આપવા અંગેનો આખરી નિર્ણય ભાજપ હાઇકમાન્ડ કરશે. આ અંગે હાઇકમાન્ડે પણ હાર્દિક અંગેનો રિપોર્ટ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
 
ભાજપના મંથનમાં અલગ અલગ મંતવ્ય
છેલ્લા કેટલાક દિવસથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાશેની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ દરમિયાન હાર્દિકને ભાજપમાં લેવાના મુદ્દે ભાજપની પ્રદેશ ટીમ દ્વારા મંથન કરવામાં આવ્યું હતું. પરંતુ આ મંથનમાં મતમતાંતર થયા હતા. જેમાં કોઈએ હાર્દિક પટેલને ભાજપમાં ના લેવા નો તો કોઈએ લેવા માટેનો મત વ્યક્ત કર્યો હતો. હાર્દિકને ભાજપમાં ન લેવા માટે કહેનારા નેતાઓનો તર્ક હતો કે હાર્દિકે ભાજપને બહુ નુકશાન કર્યું છે, પક્ષના નેતાઓ વિશે એલફેલ ઉચ્ચારણો પણ કર્યા હતા, અને હાર્દિકને ભાજપમાં લેવામાં આવે તો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા પાટીદાર નેતાઓ અને મતદારો પર અવળી અસર થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments