Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિકના ઉપવાસ આંદોલન પહેલા પોલીસે કયા કન્વીનરોની અટકાયત કરી

Webdunia
શનિવાર, 25 ઑગસ્ટ 2018 (12:30 IST)
પાસ કન્વિનર હાર્દિક પટેલના આજથી એટલે 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ તેના ઘરેથી ચાલું થઈ ગયા છે. હાર્દિક પટેલ ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું અને પાટીદાર સમાજને અનામત મળે તેવી મુખ્ય માંગણીઓ સાથે હાર્દિક આજથી આમરણાંત ઉપવાસ પર ઉતરી રહ્યો છે. તે પહેલા રાજ્યની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હાલ રાજ્યના અનેક જાહેર રસ્તાઓ પર પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. હાર્દિક આજે બપોરે 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ શરૂ કરે તે પહેલા અનેક કાર્યકારોની અટકાયતના અહેવાલો મળી રહ્યા છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગું કરી દેવાઈ છે.હાલ મળી રહેલા અહેવાલ અનુસાર મોરબીના ટંકારામાંથી અનેક કન્વીનરની અટકાયત કરવામાં આવી છે. હાલ પાસ કન્વીનર પ્રકાશ સવસાણીની અટકાયત કરવામાં આવી છે. તેની અટકાયત કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે. ત્યાં પ્રકાશ સવસાણી અને અનેક કાર્યકારોએ પોલીસ સ્ટેશનમાં જ અનશન શરૂ કર્યા છે. તમને જણાવીએ કે હાર્દિકના આંદોલનને ખુલ્લો ટેકો પ્રકાશે જાહેર કર્યો હતો. પ્રકાશ ગાંધીનગર ખાતે પ્રાઈવેટ કામે જતો હતો, ત્યાં રસ્તામાંથી તેની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય મહેસાણામાં પણ પાસ કન્વીનરને નજરકેદ કરાયા છે. હાર્દિક પટેલના ઉપવાસને લઈને કાર્યવાહી તેજ થઈ ગઈ છે. પાસ કન્વીનરોના ઘરે આજે વહેલી સવારથી જ પોલીસના ધામા છે. હાલ પાસના સુરેશ પટેલ અને સતીશ પટેલ નજરકેદ કરાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments