Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે હાર્દિકના પારણા થવાની શક્યતા, ખોડલધામના નરેશ પટેલ હાર્દિકને પારણાં કરવા મનાવશે

Webdunia
શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (12:50 IST)
હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, હાર્દિકને મળી યોગ્ય મુદ્દા હશે તે સરકારમાં વાત કરીશ, ખેડૂતોના દેવા માફીનો મુદ્દો છે તે યોગ્ય છે. હાર્દિક પટેલની તબીયત સારી રહે તે માટે માતાજીને પ્રાર્થના કરૂ છું. નરેશ પટેલ હાર્દિકને મળવા માટે રાજકોટથી રવાના થયા છે. નરેશ પટેલના કહેવાથી હાર્દિક માનશે કે નહીં તે મોટો સવાલ છે. ત્યારે નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિકને સમજાવીશ કે પહેલા પારણા કરી લે પછી બધી વાત કરીશું. સમાધાનની ફોર્મ્યુલાના મુદ્દા હાલ કોઇ તૈયાર નથી. આ અંગે હાર્દિકને મળીએ ત્યારે ચર્ચા કરીશું. આ વાત સંવાદથી જ પતે, સરકાર કહેશે તો હું મધ્યસ્થી માટે તૈયાર છું. હાર્દિક પટેલને પારણા કરાવવામાં મારો પૂરો પ્રયાસ રહેશે. કોઇ સારૂ કામ હોય તો આગળ આવવું જોઇએ, આર્થિક રીતે ગરીબ દરેક વર્ગના લોકોને અનામત મળવી જોઇએ. વડીલોના આગ્રહથી અને સમાજના હિત માટે હું આ કામમાં આગળ આવ્યો છું. પહેલા ખોડલધામના ટ્રસ્ટીઓ અને પાસ સાથે બેઠક કર્યા પછી હાર્દિકને મળવાનો નિર્ણય લીધો છે. હાર્દિકને મળ્યા બાદ જે વાત યોગ્ય લાગશે તે સરકાર સુધી પહોંચાડીશ. હાલ કોઇ સાથએ મારી વાત થઇ નથી અને અમદાવાદની ખોડલધામ ટીમ નક્કી કરી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments