Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિકે દાવો કર્યો, ઉપવાસ આંદોલનમાં ઉદ્ધવ ઠાકરે અને કેજરીવાલ ઉપસ્થિત રહેશે

Webdunia
ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (13:04 IST)
૨૫ ઓગસ્ટથી શરૂ થનારા ઉપવાસ આંદોલનમાં શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ આવશે. આવો દાવો પાટીદાર અનામત આંદોલનના હાર્દિક પટેલે કર્યો છે. પાટીદારોના ઉપવાસ આંદોલન માટે ગુજરાત સરકાર કે અમદાવાદ પોલીસે હજુ સુધી મંજૂરી આપી નથી. હાર્દિક પટેલના કહેવા મુજબ સરકાર ગાંધીનગરમાં મંજૂરી આપશે તો ગાંધીનગર, નિકોલમાં આપે તો નિકોલમાં અને મંજૂરી ન આપે તો હું ઘરે બેસીને પણ પાટીદારોને અનામત મળે, ખેડૂતોના દેવા માફ થાય તેના માટે ૨૫મી ઓગસ્ટથી ઉપવાસ આંદોલન કરીશ. જેમાં પાટીદાર આંદોલનકારીઓ ઉપરાંત, પાટીદાર ધારાસભ્યો પણ જોડાશે. પશ્ચિમ બંગાળ, દિલ્હીના મુખ્યમંત્રીઓ, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, શિવસેના સુપ્રિમો સહિત લોકશાહી માટે લડનારા તમામ નેતાઓને ઉપસ્થિત રહેશે. આ તમામની આગેવાનો સાથે મારે ફોન ઉપર વાત થઈ છે. તેમણે સર્મથન આપ્યુ છે અને ઉપવાસ આંદોલનમાં તબક્કાવાર પાટીદારો, ખેડૂતોના સર્મથન માટે ગુજરાત પણ આવશે. આંદોલન માટે સરકાર મંજૂરી આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments