Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિકના મોસાળમાં નિતીન પટેલે કહ્યું કોઈના કહ્યા ગેરમાર્ગે દોરવાતા નહીં

Webdunia
સોમવાર, 5 જૂન 2017 (15:54 IST)
હાર્દિક પટેલના મોસાળ નરસિંહપુરામાં રવિવારે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ પાટીદારોને જણાવ્યું હતું કે, ઘરના વ્યક્તિઓ સામે જ કેટલાક લોકો બીજાના હાથા બની ગયા છે, તેમનાથી ગેરમાર્ગે દોરવાતા નહીં. નીતિન પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજને કેટલાક ખોટા લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. સમાજે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ. સાચા નેતા અને કાર્યકરોને ઓળખવા જોઈએ. નહીં ઓળખો તો રાંડ્યા પછી ડહાપણ શું કામના તેવી પરિસ્થિતિ થઇને ઉભી રહેશે. ખોટી પ્રવૃત્તિઓ, ઉશ્કેરણી બધુ બંધ કરી ભાજપની સરકારમાં આવનાર સમયને વધુ સુરક્ષિત બનાવવા હાકલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, પરોઢિયે ઉઠીને ખેતરમાં મજૂરી કરનાર વ્યસનમુક્ત ઝાલાવાડી પાટીદાર સમાજ અાજે શિક્ષણથી સધ્ધર બન્યો. સમાજના મોટા ભામાશાઓ સમાજના અન્ય નબળા લોકોના સાચા શુભચિંતક બન્યા. ભાજપની સરકારમાં જમીન અને મકાનોની કિંમત લાખો કરોડોની થતાં પહેલાના નાના મોટા વેપારીઓ સમાજના ભામાશા બની શક્યા છે. અગાઉની સરકારમાં ગામડાઓમાં ખેડૂતોના ઉભા પાકની રખેવાળી માટે પોલીસ બોલાવવી પડતી હતી. ઘોડેસવાર પોલીસ ફરતી રહેતી ત્યારે ખેડૂતો માલ ઘરે લઈ જઈ શકતા. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments