Webdunia - Bharat's app for daily news and videos

Install App

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગેનું વિધેયક સળગાવ્યું

Webdunia
મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (16:59 IST)
ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં ત્રણ દિવસ માટે બરતરફ કરાયેલા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આવતીકાલે વિધાનસભામાં રજૂ થનારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગેનું વિધેયક વિધાનસભા પરિસરમાં જ સળગાવ્યું છે. મેવાણીએ આજે મીડિયા સમક્ષ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઓથોરિટીની રચના અંગેના વિધેયકની નકલને સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
બિલ સળગાવતી વખતે જીગ્નેશે કહ્યું કે, આ બિલને સળગાવીને હું મારો વિરોધ પ્રદર્શિત કરું છું. ગુજરાતના અનુસુચિત જાતિ અને જનજાતિના દલિત- આદિવાસી ધારાસભ્યોને અપીલ કરું છું કે અનુસુચિત જનજાતિના 27 અને દલિત સમાજના 13 ધારાસભ્યો છે. આ તમામ ધારાસભ્યો સાથે મળી આ બિલનો વિરોધ કરે, પોતાનો રોષ પ્રગટ કરે. કોઇપણ સંજોગોમાં આ બિલ રોકાવું જોઇએ. ગુજરાતમાં આદિવાસી સમાજને તેમના બંધારણીય અધિકારો મળતા નથી અને બંધારણીય અધિકારોનું હનન થઇ રહ્યું છે એટલા માટે બિલની કોપી સળગાવું છું.
મેવાણીએ આગળ જણાવ્યું હતું કે આવતીકાલે ગૃહમાં રજુ થનારું આ બિલ કોઈપણ સંજોગોમાં રોકાવું જોઈએ કારણ કે આજે પણ આદીવાસી સમાજના હક્કોનું હનન થઈ રહ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં આજે પણ આદીવાસીઓને બંધારણીય હક્કો મળતા જ નથી. જો આવતીકાલે આ બિલ પસાર થશે તો આદીવાસી લોકો તેમના ધંધા-રોજગાર કરી શકશે નહીં.
મેવાણીએ વધુમાં ઉમેર્યું કે, આવતીકાલે રજૂ થનારા આ બિલ સમયે હું ગૃહમાં ઉપસ્થિત રહી શકું તેમ નથી, તેમ કહી બિલ સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સંકુલમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોને પોલીસે ડિટેઇન કર્યા હતા. નોંધનીય છે કે ગઈકાલે સંવિધાન દિવસની ચર્ચા દરમિયાન અયોગ્ય વાણી-વર્તનને કારણે વિધાનસભા અધ્યક્ષે સમગ્ર સત્ર દરમિયાન એટલે કે ત્રણ દિવસ સુધી તેમને સસ્પેન્ડ કર્યા છે. જેથી તે આવતીકાલે રજૂ થનારા આ બિલમાં તેઓ ઉપસ્થિત રહી શકશે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments